પમરાટ 03
()
About this ebook
મારું પ્રથમ પુસ્તક "પમરાટ" જાન્યુઆરી 2023 માં પ્રકાશિત કરવામાં આવ્યું. મોડાસા બી. એડ. કોલેજમાં તેનું વિમોચન કરવામાં આવ્યું. ત્યાર બાદ ભાગ 2 નું ગ્રોમોર કેમ્પસ, હિંમતનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. મારા આ પુસ્તકને સારો પ્રતિસાદ મળ્યો, જેના કારણે "પમરાટ" ભાગ 3 પ્રકાશિત કરી રહ્યો છું વિવિધ લેખ અને બે પુસ્તકો પ્રકાશિત કરીને મારા ચિંતન અને મનનને એક દિશા મળી, જેના કારણે વિવિધ વિષયો પર મારા વિચારો વ્યક્ત કરવાની તક મળી. નવા નવા વિષયોની શોધ કરીને તેના પર મારું ચિંતન કર્યું. હું એક ચોક્કસ વિષયને લઈને પારિવારિક, સામાજિક, શૈક્ષણિક જેવા વિષયો પર ચિંતન કર્યું. મનુષ્ય એ માત્ર મનુષ્ય પ્રાણી નથી. મનુષ્ય પોતાની જાતને સતત સુધારતો રહ્યો છે. મનુષ્ય તેના પારિવારિક અને સામાજિક વ્યવહારોમાં પણ ફેરફાર જોવા મળે છે. આ પુસ્તકમાં મનુષ્યના જીવનને સ્પર્શતા વિષયો પર મારું ચિંતન પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક કોઈ વાર્તા કે કોઈ નવલકથા પણ નથી પરંતુ વર્તમાન પારિવારિક અને સામાજિક સ્થિતિનું મારું એક અવલોકન છે. જે મેં બારીકાઇથી જોયું છે, જેનો આપે પણ અનુભવ કર્યો હશે. આ પુસ્તક આપને આ દિશામાં ચિંતન અને મનન કરવા માટે સહાયરૂપ નીવડશે અને સ્વમૂલ્યાંકન કરવામાં મદદરૂપ બનશે.
Read more from G. S. Dedhrotiya
કેળવણીની કલમે 2 Rating: 0 out of 5 stars0 ratingsકેળવણીની કલમે - 01 Rating: 0 out of 5 stars0 ratings
Related to પમરાટ 03
Related ebooks
Sakaratmak Vicharon Ka Jadoo Rating: 0 out of 5 stars0 ratingsમેઘ ધનુષનાં રંગો Rating: 0 out of 5 stars0 ratingsક્લેશ વિનાનું જીવન Rating: 0 out of 5 stars0 ratingsBhajananjli Rating: 3 out of 5 stars3/5મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsComplete Personality Development Course in Gujarati Rating: 0 out of 5 stars0 ratingsEk Hi Zindagi Kafi Nahin Rating: 0 out of 5 stars0 ratingsઅવતરણ Rating: 0 out of 5 stars0 ratingsપતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratingsSapne Jo Sone Na Den Rating: 0 out of 5 stars0 ratingsવાણી વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsGarbhsanskar Rating: 0 out of 5 stars0 ratingsWhat To Expect When You are Expecting in Gujarati Rating: 0 out of 5 stars0 ratingsMarkandeya Puran Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsઅચાનક Rating: 0 out of 5 stars0 ratingsશબ્દે મઢી સંવેદના Rating: 0 out of 5 stars0 ratingsસેવા-પરોપકાર Rating: 0 out of 5 stars0 ratingsSecrets of Super Success Rating: 0 out of 5 stars0 ratingsયાદ તો સતાવે જ ને.. Rating: 5 out of 5 stars5/5માનવધર્મ Rating: 0 out of 5 stars0 ratingsVishnu Puran Rating: 0 out of 5 stars0 ratingsપ્રેમ Rating: 0 out of 5 stars0 ratingsSwami Vivekananda Rating: 0 out of 5 stars0 ratingsભાવના સુધારે ભવોભવ Rating: 0 out of 5 stars0 ratingsગુરુ-શિષ્ય Rating: 0 out of 5 stars0 ratingsએડજસ્ટ એવરીવ્હેર Rating: 0 out of 5 stars0 ratingsએક અતૂટ પ્રેમની નાયિકા - અભિસારિકા Rating: 0 out of 5 stars0 ratingsપ્રતિક્રમણ (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratings
Reviews for પમરાટ 03
0 ratings0 reviews
Book preview
પમરાટ 03 - G. S. Dedhrotiya
Copyright © March 2024 G. S. Dedhrotiya ‘Ghulam’
All Rights Reserved.
This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations embodied in critical articles and reviews.
The Author of this book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Pamarat
. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book.
અર્પણ
જેમના થકી સંસારમાં આવવાનું થયું એવા મારા માતા-પિતા ચરણોમાં અર્પણ. તેમજ ભાઈ-બહેનો, મારા વહાલાં દીકરા-દીકરીઓને અર્પણ
પમરાટ - 03
© જી. એસ. દેધરોટિયા ‘ગુલામ’
કિંમત - 300
• પ્રકાશન
પમરાટ - 03
માર્ચ, 2024
જી. એસ. દેધરોટિયા ‘ગુલામ’
• પ્રકાશક
નિર્મોહી ઇન્ટરનેશનલ પ્રકાશન
મહેસાણા, ગુજરાત.
મોબાઇલ નંબર 9624244390
ઇ-મેલ આઇડી – nirmohipublication@gmail. com
પ્રસ્તાવના
શિક્ષણમાં ચાર દાયકાથી સતત મનન અને ચિંતન દ્વારા મેં મારા જીવનને બરાબર સમજવા પ્રયાસ કર્યો છે, તેમજ આસપાસના સામાજિક પર્યાવરણને ઊંડાણ પૂર્વક અવલોકન કર્યું છે. મારા અભ્યાસકાળ દરમિયાન જે કંઈ મેં મારા માતા-પિતાના પારિવારિક અને સામાજિક મૂલ્યોને મેં સારી રીતે મારા જીવનમાં અનુસરવાનો પ્રયાસ કર્યો છે. મારા માતા-પિતાએ મારું સંસ્કરણ કર્યું છે. નૈતિક્તા, નિયમિતતા, ફરજ પાલન, નીડરતા, સંપ, સહકાર, સર્વધર્મ સમભાવ અને સમાજ અને રાષ્ટ્રભાવના જેવા ઉચ્ચ મૂલ્યોનું શિક્ષણ મને મારા માતા-પિતાના વારસામાં મળ્યા છે.
મારા શિક્ષકો અને અધ્યાપકો દ્વારા આ મૂલ્યોને તેમના જ્ઞાન વડે સિંચન કર્યું. મારા પરિવાર અને મિત્રોએ મારું ખૂબ સારી રીતે ઘડતર કર્યું છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ મારી સાથે જે કોઈ કોલેજ કે યુનિવર્સિટી કક્ષાએ વિધાર્થીઓ અભ્યાસ કરતા હતા, તેઓએ પણ મને જીવનમાં આગળ વધવા માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો.
હું જીવનના છ દાયકા વિતાવી ચૂક્યો છું, મેં સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે અનેક ઘણો બદલાવ જોયો છે. શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખૂબ જ ઝડપી બદલાતા સમય સાથે પોતાની જાતને એડજસ્ટ થવા પ્રયાસ કર્યો છે. આસપાસના પર્યાવરણને સમજવા માટે સૂક્ષ્મ અવલોકન કર્યું છે. એક શિક્ષક તરીકે જોડાયા પછી વિવિધ પરિવાર અને સમાજમાંથી આવતા બાળકોને સમજવા પ્રયાસ કર્યો છે. તેમની સમસ્યાઓનો ઊંડાણ પૂર્વક અભ્યાસ, અવલોકન દ્વારા કર્યું છે. શિક્ષક, આચાર્ય અને નિયામક સુધીની આ સફરમાં અનેક વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ વિવિધ સમાજના લોકો સાથે મારો નાતો પારિવારિક રહ્યો છે. મારી આ શૈક્ષણિક સફર દરમિયાન મારા જીવનના કેટલાક અનુભવો અને અવલોકનને, મારા જ્ઞાન અને ચિંતન વડે, શબ્દો દ્વારા વ્યક્ત કરવાનો મારો પ્રયાસ મેં 2015 પછી કર્યો. મેં આ છ દાયકા દરમિયાન અનેક પુસ્તકો વાંચીને મારા જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવવા પ્રયાસ કર્યો છે, જે આજે હું મારા ચિંતનને મારા લેખ વડે પ્રસ્તુત કરી શક્યો છું. કાવ્યો, ગઝલ, હાઈકુ અને લેખન એ મારો શોખ બની ગયો, સાથે સાથે ચિત્રકલા અને રમતગમતના શોખને કારણે યુવાન રહ્યો.
શરૂઆતમાં કાવ્યો લખીને મારી કલમને તાકાત મળી. મારા વિશાળ મિત્ર વર્તુળે મને પ્રોત્સાહન આપ્યું અને મને વિવિધ વિષયો પર લેખ લખવા માટે પ્રોત્સાહિત કર્યો. કેટલાક લેખ વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા, જેના કારણે મારી કલમને બળ મળ્યું.
મારું પ્રથમ પુસ્તક પમરાટ
જાન્યુઆરી 2023 માં પ્રકાશિત કરવામાં આવ્યું. મોડાસા બી. એડ. કોલેજમાં તેનું વિમોચન કરવામાં આવ્યું. ત્યાર બાદ ભાગ 2 નું ગ્રોમોર કેમ્પસ, હિંમતનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. મારા આ પુસ્તકને સારો પ્રતિસાદ મળ્યો, જેના કારણે પમરાટ
ભાગ 3 પ્રકાશિત કરી રહ્યો છું વિવિધ લેખ અને બે પુસ્તકો પ્રકાશિત કરીને મારા ચિંતન અને મનનને એક દિશા મળી, જેના કારણે વિવિધ વિષયો પર મારા વિચારો વ્યક્ત કરવાની તક મળી. નવા નવા વિષયોની શોધ કરીને તેના પર મારું ચિંતન કર્યું. હું એક ચોક્કસ વિષયને લઈને પારિવારિક, સામાજિક, શૈક્ષણિક જેવા વિષયો પર ચિંતન કર્યું. મનુષ્ય એ માત્ર મનુષ્ય પ્રાણી નથી. મનુષ્ય પોતાની જાતને સતત સુધારતો રહ્યો છે. મનુષ્ય તેના પારિવારિક અને સામાજિક વ્યવહારોમાં પણ ફેરફાર જોવા મળે છે. આ પુસ્તકમાં મનુષ્યના જીવનને સ્પર્શતા વિષયો પર મારું ચિંતન પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક કોઈ વાર્તા કે કોઈ નવલકથા પણ નથી પરંતુ વર્તમાન પારિવારિક અને સામાજિક સ્થિતિનું મારું એક અવલોકન છે. જે મેં બારીકાઇથી જોયું છે, જેનો આપે પણ અનુભવ કર્યો હશે. આ પુસ્તક આપને આ દિશામાં ચિંતન અને મનન કરવા માટે સહાયરૂપ નીવડશે અને સ્વમૂલ્યાંકન કરવામાં મદદરૂપ બનશે.
આ પુસ્તકમાં જે લેખ છે, તે મારું અવલોકન અને ચિંતન અને મનન છે. તેમાં આપ સંમત ના પણ હોઈ શકો, એ સ્વાભાવિક છે પરંતુ આપનો મારા વિચારોને હકારાત્મક અભિગમ દ્વારા બળ મળશે તેવી ચોક્કસ અપેક્ષા રાખું છું.
આ પુસ્તક આપ સૌને ગમશે તેવો દ્રઢ વિશ્વાસ છે. આ પુસ્તક તૈયાર કરવામાં મારા પરિવાર અને મિત્રોનો જે સહકાર મળ્યો છે, તેને ભૂલી શકાય તેમ નથી. તેમના મારા પ્રત્યેના સ્નેહના કારણે જ મારી કલમને તાકાત મળી છે. સૌ મારા વાચક મિત્રો, મારા આ પુસ્તકને વાંચી, સ્વીકારીને મને બીજા લેખ લખવા માટે પ્રોત્સાહિત કરશો તેવી અપેક્ષા રાખું છું.
અનુક્રમણિકા
પમરાટ - 03
01.‘મા’ એ ‘મા’ તું ક્યાં છે? અમે તો વિખૂટાં પડી ગયાં પણ તું ક્યાં!
શિયાળાની વહેલી સવારમાં કડકડતી ઠંડી પડતી હતી. લગભગ પાંચ સેલ્સિયસ આસપાસનું તાપમાન હશે! ને હું ધાબળો લપેટીને સૂઈ રહ્યો હતો. પછી ધાબળા ઉપર એક બીજી ચાદર પણ નાખી હતી, જેથી ઠંડી ના લાગે પણ બારીમાંથી આવતો ધીમો ઠંડો પવન મને ધ્રુજાવી નાંખતો હતો. મેં થોડું પાંશુ ફેરવ્યું, તો નજર પડી કે એલાર્મ ઘડિયાળમાં સવારના ચાર વાગતા હતા. મને થયું કે બહાર ઠંડી છે અને હજુ સાયકલિંગનો સમય થયો નથી; તો ફરીવાર ધાબળો લપેટીને સુઈ ગયો. જેવી જ આંખ બંધ થઈ કે ઘસઘસાટ સૂઈ ગયો.
આજે રવિવાર હોવાને લીધે કોઈ કામકાજ નહોતું, એટલે મનને નિરાંત હતી. ઠંડી હોવાને લીધે એમ હતું કે સૂરજ નીકળ્યા પછી જઈશ. હું તો સૂઈ રહ્યો હતો ને એમાં સ્વપ્ન જોયું, એટલે ઊંચા અવાજે મારાથી બોલાઈ ગયું, l
મા એ મા તું ક્યાં છે? ભાઈ ક્યાં ગયો, મારી બહેનો ક્યાં ગઈ અને બાપુજી?
બસ, મને મારી 'મા' યાદ આવી ગઈ. મેં મારો ધાબળો નાખી દીધો ને ઊભો થયો. ઘરમાં ફરી વળ્યો પણ ઘરમાં કોઈ નહોતું. હું એકલો અટૂલો, ઘરમાં મારા સિવાય મેં કોઈને ન જોયા. હું તો મારી પથારી પાસે આવીને બેસી ગયો. હું વિચારતો રહ્યો કે આ બધાં ક્યાં ગયાં? મારાથી ના રહેવાયું, તો મેં બૂમ પાડી, 'મા એ મા' પણ કોઈ જવાબ ના મળ્યો. બાજુના ઓરડામાં જ્યાં મારી મા અને બાપુજી સૂતાં હતાં, ત્યાં ગયો. ત્યાં જઈને દીવાલ પર લટકાવેલ બે તસવીર જોઈ, જેમાં