મેઘ ધનુષનાં રંગો
()
About this ebook
નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. 'કારગિલ' વાર્તા દેશપ્રેમને દર્શાવે છે. તો પરિવર્તન વાર્તા સમાજની આરસી સમાન છે. તેમાં ઘડેલાં પાત્રો એક આગવી ઓળખ ઊભી કરે છે. વ્યક્તિલક્ષી વાર્તાઓમાં પાત્રોનું ચરિત્ર ઘડતર પ્રસ્તુત કરતી વાર્તાઓ જેવી કે બુધો, ભીખો જેવાં કિરદારો ઉલ્લેખનીય છે. દાદીમા, ઋણની ચૂકવણી જેવી વાર્તાઓ આજના સમયમાં દીવાદાંડી સમાન છે.
Read more from Narendra Trivedi
રહસ્યની સમીપે Rating: 0 out of 5 stars0 ratingsપ્લેન હાઇજેકિંગ Rating: 0 out of 5 stars0 ratings
Related to મેઘ ધનુષનાં રંગો
Related ebooks
અંતરનો નાદ - સ્વની ખોજ Rating: 0 out of 5 stars0 ratingsSwami Vivekananda Rating: 0 out of 5 stars0 ratingsયાદ તો સતાવે જ ને.. Rating: 5 out of 5 stars5/5અવતરણ Rating: 0 out of 5 stars0 ratingsશબ્દે મઢી સંવેદના Rating: 0 out of 5 stars0 ratingsચંદા તારી બીજ બાજુ Rating: 0 out of 5 stars0 ratingsKadve Pravachan Rating: 0 out of 5 stars0 ratingsપમરાટ 03 Rating: 0 out of 5 stars0 ratingsEk Hi Zindagi Kafi Nahin Rating: 0 out of 5 stars0 ratingsકેસરિયા Rating: 0 out of 5 stars0 ratingsટચ મી નોટ Rating: 0 out of 5 stars0 ratingsChanakya Niti: Chanakya Sutra Sahit Rating: 0 out of 5 stars0 ratingsMarkandeya Puran Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratingsઅરધી સદીની વાચનયાત્રા ભાગ-3 (Ardhi Sadini Vachanyatra Vol 3) Rating: 5 out of 5 stars5/5પડાવ Rating: 0 out of 5 stars0 ratingsગીતા મંથન (Geeta Manthan) Rating: 5 out of 5 stars5/5અંતરનાદ 03 Rating: 0 out of 5 stars0 ratingsપુરુષોત્તમની આરાધના Rating: 0 out of 5 stars0 ratingsGanesh Puran Rating: 0 out of 5 stars0 ratingsક્લેશ વિનાનું જીવન Rating: 0 out of 5 stars0 ratingsઅચાનક Rating: 0 out of 5 stars0 ratingsSapne Jo Sone Na Den Rating: 0 out of 5 stars0 ratingsપતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsપ્રેમ Rating: 0 out of 5 stars0 ratingsપીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન Rating: 0 out of 5 stars0 ratingsત્રિમંત્ર Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsકાલો - ધ નૂર ઓફ કુલભાટા Rating: 0 out of 5 stars0 ratingsVishnu Puran Rating: 0 out of 5 stars0 ratings
Reviews for મેઘ ધનુષનાં રંગો
0 ratings0 reviews
Book preview
મેઘ ધનુષનાં રંગો - Narendra Trivedi
Copyright © 2024 Narendra Trivedi
All Rights Reserved.
This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations embodied in critical articles and reviews.
The Author of this book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Megh Dhanush na Rango. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book.
ચિ. મેઘ ગૌરવ મહેતા
શ્રદ્ધાંજલિ
સ્વ. હીના ભગીરથ ત્રિવેદીનાં સ્મરણાર્થે ભાવભીની અંજલિ
ખબર છે તું નહીં આવે,પણ આંખ મંડરાયા કરે
બારણે ખાલી ટકોરા, આપનાં સંભળાયા કરે
તું હતી ત્યારે નકામી વાતોમાં, વિત્યો સમય તો
મૌનમાં શબ્દો આજે,તારા જ પડઘાયા કરે
જ્યાં હતો પમરાટ,તારી હાજરીનો વહેતો
શ્રાવણી આંખોમાં, સ્મરણો આજે પણ વરસ્યા કરે
રાહમાં ફૂલો બિછાવી રાખશું, શું કામનાં?
બાગ સૂનો હરઘડી, કૈં યાદને વાવ્યા કરે
એટલી છે ખબર, હોંકારો હવે તારો, ન મળે
જે સમય તને લઇ ગયો, એ અમને સમજાવ્યાં કરે
સમસ્ત ત્રિવેદી પરિવાર.
સ્વ. નિરંજનાબેન શાંતિભાઈ રાવલ,
જયેષ્ઠ ભગીનીને ભાવભીની શ્રદ્ધાંજલિ.
––––––––
સ્વ. અરવિંદભાઈ મુકુન્દરાય વ્યાસ
જયેષ્ઠ બંધુને ભાવભીની શ્રદ્ધાંજલિ
પ્રસ્તાવના
જા ની ભૂ લી પી ના રા ‘મેઘ ધનુષનાં રંગો’ નવલિકા સંગ્રહ
ચેક બુક, ક્રેડીટ, ડેબીટ, કલીઅરિંગ, અગેઇનસ્ટ કલીઅરિંગ, ઓવરડ્રાફ્ટ, પાસબુક, ડ્રોઈંગપાવર, લિમિટ, કેશક્રેડીટ, મેનુ,કાઉન્ટર, ક્રેડીટકાર્ડ , ટર્મલોન, ડીમાન્ડલોન, એ. ટી. એમ... આ બધાં અને આવાં અનેકાનેક પારિભાષિક શબ્દોનાં ઘટાટોપ જંગલોથી ઘેરાયેલા સર્જક, લેખક શ્રી નરેન્દ્રભાઈ ક્યારે નાજુક નમણાં, સોહામણાં, ચમકતાં, દમકતાં અને સુખ, દુ:ખ, સંવેદના, આનંદ, જય-પરાજય, નિરાશા. હતાશા જેવી લાગણીઓ, ભાવોને વ્યક્ત કરતાં શબ્દો વાપરતા થઈ ગયા તે સુખદ ચમત્કાર વિષે જાણવું રસપ્રદ છે. તેના ઉચિત ઉપયોગથી સામાજિક વાર્તા, નવલિકા, રહસ્ય, ભેદભરમ ભરી વાર્તા, ટૂંકી વાર્તા, કવિતા, ગઝલ, હાસ્યકથાનું સર્જન કરતા થઈ ગયા અને આપણને એક ઉત્કૃષ્ટ લેખક મળ્યા.
બેન્કર તરીકે વરસો સુધી બેન્કમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહીને જ્વલંત કારકિર્દી પૂર્ણ કરીને ચીફ મેનેજર તરીકે નિવૃત્ત થયા એ પહેલાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે બહુ ઝાઝું ખેડાણ નહોતું કર્યું. અલબત્ત, શાળા, કોલેજ સ્તરે હસ્ત લિખિત અંકો, મેગેઝિનોમાં છૂટું છવાયું લખવાની શરૂઆત કરી જ દીધેલી.
એ તથ્ય સર્વ વિદિત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, શ્રી નરેન્દ્રભાઈ પણ તેમાં અપવાદ નથી. તેમનાં જીવનમાં તેમનાં સહજીવન ચારિણી, અર્ધાંગિની, ધર્મપત્ની સુશ્રી જિજ્ઞાબહેન પ્રોત્સાહન, પ્રેરણા અને નવોન્મેષ પુરું પાડનાર જબરદસ્ત સ્રોત બની પ્રવેશ્યાં છે. લગ્ન પછી ધર્મપત્ની જિજ્ઞાબહેન દ્વારા લેખન કાર્ય માટે સતત પ્રવૃત્ત રાખવા માટે અપાયેલું યોગદાન પ્રશંસનીય છે
આ હકીકતનો સ્વીકાર કરતા શ્રી નરેન્દ્ર ભાઈ જણાવે છે કે માત્ર નિવૃત્ત બેન્કરમાંથી સર્જનાત્મક લેખન કાર્ય કરતા કવિ, લેખક તરીકે સ્થાપિત કરવામાં મારી ધર્મપત્નીનું બહુ મોટું યોગદાન છે.
સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનાં નિવૃત્ત બેન્કરો દ્વારા સ્થાપિત અને વોટસએપનાં પ્લેટફોર્મ ઉપર ચાલતા ‘વિસ્મય’ ગ્રુપ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં ‘સૃજન’ ગ્રુપમાં ધારાવાહિક વાર્તા, નવલિકા, કવિતા, હાસ્યપ્રધાન વાર્તા-લેખ લખતા રહે છે. લેખક-સર્જક શ્રી નરેન્દ્રભાઈ એક સંવેદનશીલ ભાવક પહેલાં છે અને લેખક પછી છે. જન સામાન્યની લાગણીને, ભાવોને, સંવેદનાઓને અને સ્પંદનોને સમજી લે છે અને તેને આત્મસાત કરે છે. રોજિંદા જીવનમાં આસપાસ, ચોપાસ બનતી ઘટનાઓનું ઝીણવટભર્યું અવલોકન કરવું, તેના પરિબળોને જાણવા, પારખવા તેમજ પ્રમાણવા અને તેમાંથી વાર્તા તત્વ ખોળી કાઢી ખૂબીપૂર્વક વાર્તા-કવિતામાં રૂપાંતરીત કરવાની કળામાં નિપૂણ છે. તેમના ભાવકો, વાચકો અને અનુભાવકોનાં મન, હ્રદય અને મૂડ-મિજાજને સુપેરે ઓળખે છે.
સામાજિક પ્રશ્નોને વાચા આપતી વાર્તાઓ-નવલિકાઓ, સાંપ્રત સમયના પેચીદા કોયડાઓની છણાવટ અને નિરાકરણની મથામણ રજૂ કરતી તેમજ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોને રજૂ કરતી કૃતિઓ ઉપરાંત જાસૂસ કથા, ડિટેકટીવ કથા, રહસ્ય કથાનું સર્જન કરવામાં તેમની કલમ બળુકી સાબિત થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવાં કે પ્રતિલિપિ ઉપર ૭૫૦+ પોસ્ટ મૂકી છે. સ્ટોરી મિરોર પર પણ સક્રિય છે. તેમાં વિવિધ સામાજિક વાતોની નવલિકાઓ, ત્રણ જાસૂસ કથાઓ, કવિતા, ગઝલ - રહસ્યમય નવલિકાઓ સામેલ છે. સર્જન પ્રક્રિયા અને લેખક તરીકેની પ્રતિભાને બિરદાવતા પ્રશંસાપત્રો, સન્માન પત્રો, માન-અકરામ અને તેમનાં સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પ્રદાનની નોંધ લેતાં સ્મૃતિ ચિન્હો; વિવિધ સંસ્થાઓ, સાહિત્યિક વર્તુળો, સામાયિકો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તરફથી ઘણાં પ્રાપ્ત થયા છે.
આ વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. ‘કારગિલ’ વાર્તા દેશપ્રેમને દર્શાવે છે. તો પરિવર્તન વાર્તા સમાજની આરસી સમાન છે. તેમાં ઘડેલાં પાત્રો એક આગવી ઓળખ ઊભી કરે છે. વ્યક્તિલક્ષી વાર્તાઓમાં પાત્રોનું ચરિત્ર ઘડતર પ્રસ્તુત કરતી વાર્તાઓ જેવી કે બુધો, ભીખો જેવાં કિરદારો ઉલ્લેખનીય છે. દાદીમા, ઋણની ચૂકવણી જેવી વાર્તાઓ આજના સમયમાં દીવાદાંડી સમાન છે.
બહોળા વાચક, ભાવક વર્ગને લક્ષમાં રાખી અવનવા વિષયોને કેન્દ્રમાં રાખીને વાર્તાનું સર્જન કરવામાં માને છે. મોટાભાગે અંત:સ્ફૂરણાથી પ્રેરિત થઈને કલમ ચલાવે છે. વાચક વર્ગનો રસ જળવાઈ રહે, વાર્તાને વાંચવાનું શરૂ કર્યા બાદ અધૂરી છોડવાનું મન ન થાય અને વાર્તા એક જ બેઠકે પૂરી કરવાની તાલાવેલી થાય, વાંચ્યા પછી મગજમાં અને હ્રદયમાં વાર્તા સતત ઘૂમરાયા કરે તેવાં ચોટદાર કથાનકોને આ વાર્તા સંગ્રહમાં સ્થાન આપીને પ્રકાશિત થતા નવા સંગ્રહની ગરિમા વધારી છે.
તાજેતરમાં તેમની એક રહસ્ય/જાસૂસ નવલકથા પ્લેન હાઈજેકિન્ગ
સુખ્યાત નિર્મોહી પ્રકાશન ગૃહે પ્રકાશિત કરી છે અને બીજી રહસ્ય નવલિકા રહસ્યની સમીપે
ડિસેમ્બરની ૧૯મી તારીખે પ્રકાશિત થઈ ચૂકી છે.
આ વાર્તા સંગ્રહનું નામ મેઘ ધનુષનાં રંગો
પણ સાંકેતિક અને સૂચક છે. સપ્ત રંગી મેઘ ધનુષની જેમ જ વાર્તાઓ ગુજરાતી સાહિત્યના અસીમ આકાશમાં મેઘધનુષ બની રંગોની છટા પાથરશે. શ્રી નરેન્દ્રભાઈ વધુને વધુ સર્જન કરતા રહે અને સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરતા રહે તેવી હદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અશોક પંડયા (ભાવનગર)
શુભેચ્છા સંદેશ
શ્રી નરેન્દ્રભાઈ, એ જાણીને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આપની, ‘ત્રીજી બુક’ મેઘ ધનુષનાં રંગો
નિર્મોહી પબ્લિકેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 21 થી વધારે પ્લેટફોર્મ પર પ્રકાશિત થવા જઈ રહી છે. તમારી બુક 36 વિવિધ કથાનક ધરાવતી નવલિકાનો સમૂહ છે. આ નવલિકા સમૂહમાં કૌટુંબિક, સામાજિક અને અન્ય સંબંધોને ઉજાગર કરતી વાત છે. આ બધાં જ બનાવો કે ઘટનાને આપણે રોજ ક્યાંકને ક્યાંક અનુભવતાં હોઇએ છીએ કે તેમાંથી પસાર થઈએ છીએ. આપની આ નવલિકાઓ ખૂબ જ બળુકી છે અને આપ દ્વારા તેની અત્યંત સુંદર રજૂઆતે કથાને ખૂબ સુંદર અક્ષરદેહ આપ્યો છે એટલે તેની સફળતા માટે કોઈ શંકા નથી. આપનું આ પબ્લિકેશન ખૂબ સફળતા મેળવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
હું, આપને આપની આ નવલિકાના પ્રકાશન માટે ખૂબ ખૂબ સફળતા ઇચ્છું છું. સાથે, સાથે ગૌરવની લાગણી અનુભવીને હદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.
એચ. પી. રાખશિયા (ભાવનગર)
અનુક્રમણિકા
01. વીર પસલી
અમૂલભાઈ અને રજનીભાઈ બંને ખાસ મિત્રો હતા, એકબીજાને ઘરે આવવા, જવાનો વ્યવહાર હતો. રજનીભાઈએ અમૂલભાઈના પત્ની ઉમાબેનને બહેન માન્યા હતા અને રક્ષાબંધનના દિવસે બધાં ભેગા થઈ રક્ષાબંધન મનાવતાં હતાં અને આનંદ કિલ્લોલ કરતાં. આમ જ વર્ષોથી ચાલ્યું આવતું હતું.
એવું તે શું? થયું કે અમૂલભાઈ અને રજનીભાઈની મિત્રતામાં તિરાડ પડી, સંબંધો કપાય ગયા, એક બીજાને ત્યાં જવા-આવવાના કે સાજે-માંદે ખબર અંતર પૂછવાના વ્યવહાર પણ તૂટી ગયા હતા. ઉમાબેને અમૂલભાઈને પૂછ્યું હતું કે કહો તો ખરા, તમારે બંને મિત્રને શું વાંધો પડ્યો છે? ન કહો તો કાઈ નહીં પણ રજનીભાઈને રક્ષાબંધનના દિવસે રાખડી તો બાંધવા દયો,
ત્યારે, અમૂલભાઈએ કાઈ જવાબ નહોતો આપ્યો.
આમજ સમય ઘણો પસાર થઈ ગયો. બંને મિત્રો વચ્ચે કોઈ સંપર્ક નહોતો. રજનીભાઈને ખબર