Jeeti Sako To Jeeti Lo
()
About this ebook
His lucid style and simple yet convincing language enthrall the reading audience. In the end of the book, he motivates readers to use time effectively, manage one's tasks efficiently and make full use of all chances for becoming successful.
It is a complete guru! A fantastic collection of words, Dare to Dream Dare to Excel is a must-read for the readers of all generations. The youth and office goers would be motivated to the great extent by it. They would change their thinking after reading it, for it is their own career that is going to be polished through it.
Dr. Harikrishna Devsare is a renowned writer, media personality (radio) and motivational trainer. This book, written by him after undertaking deep research, offers new directions and suggestions to the readers of today.
Related to Jeeti Sako To Jeeti Lo
Related ebooks
acha Insaan Safal Vijeta Kaise Bane Rating: 0 out of 5 stars0 ratingsSecrets of Super Success Rating: 0 out of 5 stars0 ratingsSakaratmak Vicharon Ka Jadoo Rating: 0 out of 5 stars0 ratingsHaar Ke Baad Hi Jeet Hai Rating: 0 out of 5 stars0 ratingsઆત્મ સાક્ષાત્કાર Rating: 0 out of 5 stars0 ratingsઆગેવાનીની કળા Rating: 0 out of 5 stars0 ratingsપ્રતિક્રમણ (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsBhajananjli Rating: 3 out of 5 stars3/5આપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsક્લેશ વિનાનું જીવન Rating: 0 out of 5 stars0 ratingsSapne Jo Sone Na Den Rating: 0 out of 5 stars0 ratingsદાદા ભગવાન? Rating: 0 out of 5 stars0 ratingsManagement and Corporate Guru Chanakya Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsઅનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran Rating: 0 out of 5 stars0 ratingsક્રોધ Rating: 0 out of 5 stars0 ratingsGarbhsanskar Rating: 0 out of 5 stars0 ratingsમૃત્યુ સમયે પહેલાં ને પછી... Rating: 0 out of 5 stars0 ratingsગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું Rating: 5 out of 5 stars5/5Complete Personality Development Course in Gujarati Rating: 0 out of 5 stars0 ratingsમાનવધર્મ Rating: 0 out of 5 stars0 ratingsસત્ય-અસત્યના રહસ્યો Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsલીડરશીપ નું મનોવિજ્ઞાન Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૧ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તસૂત્ર Rating: 3 out of 5 stars3/5અહિંસા Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૯ Rating: 0 out of 5 stars0 ratings
Reviews for Jeeti Sako To Jeeti Lo
0 ratings0 reviews
Book preview
Jeeti Sako To Jeeti Lo - Dr. Hari Krishna Devsare
1
જીતી શકો તો જીતી લો
જીત તમારી
કોઈ પણ કામ કરો, મનથી કરો
મનની એકાગ્રતા વિજય મંત્ર છે
મક્કમ ઈરાદામાં છે અદ્ભુત શક્તિ
પહાડ અને મનુષ્ય
ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા
અક્કલની વાત
પણ-પરંતુથી બચો.
જીત તમારી
એક અંગ્રેજ પાદરીનું કહેવું છે - જીવન એક દાવ સમાન છે. હાર - જીત આપણા હાથમાં નથી, પણ દાવને ખોલવો આપણા હાથમાં છે.
અને આ સાથે એ પણ સત્ય છે કે હાર - જીતનું રહસ્ય દાવની રમતમાં છુપાયેલું છે. આપણે જેવી રમત રમીશું, પરિણામ પણ એ મુજબ જ આવશે. - પરંતુ રમત રમતી વખતે આપણે આ રહસ્યને ભૂલી જઈને અહંકારને આધીન થઈ જઈએ છીએ. આપણે એવા ગર્વમાં રહીએ છીએ કે વિજય આપણને જ મળશે. આપણને કોઈ રોકી નહીં શકે. પરંતુ આ વાતના ઘણાં બધા દૃષ્ટાંતો છે કે ગમે તે રમત હોય, હરીફાઈ હોય, પડાવ હોય કે પછી લક્ષ્ય હોય - જેના મનમાં તેની પ્રાપ્તિ પ્રત્યે અહંકાર આવી જાય - તેની હાર નક્કી છે. મોટા - મોટા શૂરવીરો અને જ્ઞાનીઓનો અહંકાર ભંગ થયો છે અને તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આથી જીવનમાં જે જીત ઇચ્છ છે તેણે એ સમગ્ર દોષો અને અવગુણોથી દૂર રહેવું જરૃરી છે, જે આપણા માર્ગને ઉત્તમ બનાવવામાં અડચણરૃપ બને છે.
સ્વેટ માર્ડને કહ્યું છે - વિજય મેળવવા માટે દૃઢ શ્રદ્ધા હોવી અત્યંત જરૃરી છે.
આપણે આપણી સમગ્ર શક્તિઓને એક જ લક્ષ્યની સફળતા માટે કેન્દ્રિત રાખવી પડે છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રુઝવેલ્ટ માટે કહેવાય છે કે "જો તેઓ પોતાના લક્ષ્ય પ્રત્યે મન વગર કામ કરતા, તો આજે આખા વિશ્વમાં તેમની આટલી બધી પ્રતિષ્ઠા ન હોત. તેમના જીવનમાં સફળતા મેળવવાનું આ જ એક રહસ્ય હતું કે તેમણે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે પોતાની સંપૂર્ણ જીવન - શક્તિને મક્કમ ઈરાદાથી નિયોજિત કરી દીધી હતી. પોતાની પૂર્ણ સમર્થતાને એકત્રિત કરીને તેઓ કામમાં પરોવાઈ જતા અને પોતાના કામને ક્યારેય ટાળવાની યુક્તિ કે બહાનાબાજી કરતા નહોતાં. તેમનો નિયમ હતો કે જે કામ હાથમાં લેતા તે પૂરું કરીને જ રહેતા.
હકીકતમાં જીવનના દરેક પગલે આપણી પાસેથી કેટલીક ઈચ્છાઓ જરૃરિયાતો હોય છે. આ ઈચ્છાઓ જ આપણા જીવન - માર્ગને આસાન અને સરળ બનાવ છે. આપણે આના આધારે જ જીત કે વિજય પ્રાપ્ત કરીએ છીએ. જીવન - માર્ગ પર અગે્રસર - મોભી થતાં પહેલાં એ બહુ જરૃરી છે કે તમારા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ હોય. એક જ્ઞાનીનું કહેવું છે કે,
જીવન - માર્ગ પર તમારું લક્ષ્ય, તમારો સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત હોવો જોઈએ. જીવનમાં તેની સત્તા સર્વોપરિ હોવી જોઈએ, ત્યારે જ તમારી શક્તિ વિકસિત થઈ શકશે અને પરિણામે સ્વરૃપે તમારા જીવનની ગાડી આગળ વધતી રહેશે. જે વ્યક્તિ પોતાનું લક્ષ્ય નક્કી કરી લે છે અને હંમેશાં તેના માટે પ્રયત્નશીલ રહે છે, તો તેનામાં એક એવી શક્તિ ઉદ્ભવે છે. જેને આપણે રચનાત્મક, ક્રિયાત્મક અથવા નિર્માણાત્મક સર્જનશક્તિ કહી શકીએ છીએ. આવી શક્તિવાળો વ્યક્તિ જ કર્મઠ કહેવાય છે. પરંતુ તેની સમક્ષ, તેનું સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. કારણ કે જ્યાં સુધી તે વ્યક્તિ તલ્લીન થઈને પોતાના મનને કોઈ એક બિંદુ પર કેન્દ્રિત નથી કરતો, ત્યાં સુધી પ્રગતિના માર્ગ પર આગળ વધી શક્તો નથી."
જીવનમાં આવતા સંઘર્ષમાં જીત એમની જ થાય છે, જેઓ તલ્લીનતાથી - મનથી કામ કરે છે. કારણ કે સર્જન માટે મનનું તલ્લીન હોવું જરૃરી છે. જો મન ભય, સંશય અને ડરથી ઘેરાયેલું હોય તો મન તલ્લીનતાથી કામ ન કરી શકે. આથી મનમાંથી ભય, સંશય અને ડરને કાઢી નાખો, અને ત્યારે જ તમે સંતુલિત મનથી કામ કરી શકશો અને ત્યારે જ તલ્લીનતા સંભવ છે.
જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ તો આપણી ઇચ્છા એ જ હોય છે કે આપણી આમાં જીત થાય અને સફળતા આપણને જ મળે પરંતુ આ માટે સૌ પ્રથમ એ જરૃરી છે કે આપણે આપણા આત્મવિશ્વાસને જાગ્રત કરીએ. એક વિચારકે સાચું જ કહ્યું છે કે - 'મહાન કાર્ય મનુષ્ય નહીં, બલ્કે તેનો આત્મવિશ્વાસ કરે છે. તે આગળ કહે છે -
સંસારમાં જો કોઈ પ્રબળ પ્રેરણા-શક્તિ છે, જે કોઈ વ્યક્તિને ગમે તેટલા મોટાં સંઘર્ષમાં પણ જીત અપાવી શકે છે - તો એ છે આત્મવિશ્વાસ. જો તમે જીવનમાં મોટી સફળતા મેળવનાર અને જીત પ્રાપ્ત કરનાર વ્યક્તિઓના કાર્યકલાપોનો અભ્યાસ કરશો તો તમને જોવા મળશે કે તેમની સફળતા અને જીતનું ફક્ત એક કારણ હતું, તેમનો આત્મવિશ્વાસ. એક વિચારકે સાચું જ કહ્યું છે કે મનુષ્યની પોતાની શક્તિઓ અને સમર્થતા ફકત સાધન માત્ર છે. સાચી શક્તિ તો વિશ્વાસથી જ આવે છે, જેના દ્વારા મનુષ્ય અશક્યને પણ શક્ય કરી દે છે. સફળતાનો મુખ્ય આધાર સૂક્ષ્મ યોગ્યતા, કામ કરવાની યોગ્ય રીત તથા કામ કરવાની શક્તિ આ ત્રણેય બાબતો પર આધાર રાખે છે. લોકો સફળતાને નસીબ માને છે, જ્યારે સફળતાનો અર્થ છે - યોગ્ય નિર્ણય, તથા જાગરૃકતા. મોટા ભાગે તમે સાંભળ્યું હશે કે કોઈ પણ વ્યક્તિની સફળતા પર લોકો કહે છે કે - 'તે કેટલો નસીબદાર છે. ' પણ આ સત્ય નથી, તે વ્યક્તિની સફળતા અથવા જીતના મૂળભૂત આધાર છે - તેમનું સ્વસ્થ શરીર, કઠણ પરિશ્રમ કરવાનો સ્વભાવ, તેની કાર્યશક્તિ, તેનો દૃઢ નિર્ણય, તેનું સાહસ, ઉત્સાહ વગેરે. એ લોકો જ જીતે છે, જેઓ મજબૂત ઈરાદો કરીને, કઠણ પરિશ્રમ કરવા માટે હંમેશાં પોતાને તૈયાર રાખે છે. આવા વ્યક્તિ નીરસ કામથી થાકતા નથી, કંટાળતા નથી, ગભરાતા નથી - તેમની સામે ફક્ત કામને પૂરા કરવાનું લક્ષ્ય હોય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે, પરિશ્રમી, સાહસી, પરાક્રમી તથા મક્કમ ઈરાદો રાખનાર વ્યક્તિને કોઈ હરાવી ન શકે, બલ્કે તેના શત્રુ તેનો વિરોધ કરતા પહેલાં જ તેની સામે હાર માની લે છે, કારણ કે તે બીજા દ્વારા ટીકા કરવામાં આવે તે પહેલાં જ પોતાના કામને પૂરું કરી નાખે છે. ઇતિહાસ આવા વ્યક્તિઓની કહાણીથી ભરેલો છે, જેમણે દુર્દૈવ, અકિંચનતા તથા અપમાન - અવજ્ઞાને ઠોકર મારીને ધન, કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેમને આ જીત તેમના આત્મવિશ્વાસ અને કર્મઠતાને કારણે જ મળી હતી.
આજના સમયમાં મોટાભાગના યુવાન 'શોર્ટકટ' મારીને સફળતા મેળવવા ઇચ્છે છે. તેઓ જીવનની દરેક બાજી ઝટપટ જીતવા ઇચ્છે છે. પરંતુ અંતે તેમને અસફળતા જ મળે છે. તેમનું ઉતાવળાપણું જ આનું મૂળ કારણ છે. જે લોકો અડધી - અધૂરી શિક્ષાથી જીતવા અથવા સફળ થવાની ઇચ્છા રાખે છે. તેમને અંતમાં નિરાશ જ થવું પડે છે. આથી ધીરજથી કામ કરો. યોગ્ય - પર્યાપ્ત શિક્ષણ લો અને એક - એક પગલું ભરીને આગળ વધો.
સ્વેટ માર્ડને લખ્યું છે - સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન તથા ધીરજની આવશ્યક્તા હોય છે, ઉતાવળાપણાની નહીં. જ્યારે તમે તમારા વ્યવસાયના તજજ્ઞ બની જાઓ. ત્યારે જ કાર્યક્ષેત્રમાં ઉતરો તો લોકો તમારી વાહ - વાહ કરશો, પરંતુ અધૂરા, અધકચરાં તથા ઉતાવળાપણાથી કરેલા પ્રયત્નો પછી સફળતાની આશા રાખવી, પોતાની ઠેકડી જાતે જ ઉડાવવા સમાન છે. કોઈપણ વસ્તુના નિર્માણમાં ગંભીર અભ્યાસ, કઠણ પરિશ્રમ, તથા મજબૂત પાયાની જરૃર હોય છે, અને એ પાયો એટલો મજબૂત હોવો જોઈએ કે લોકો તેને સજીવ ખડગનો પથ્થર કહે, ત્યારે જ તે મહેલ ટકાઉ બની શકશે. આ રીતે દરેક કામમાં ધીરજ અને સહનશક્તિનું ઘણું મહત્ત્વ છે.
જીવન સંઘર્ષમાં જીતવા અને સફળતા મેળવવાના આ જ મૂળમંત્ર છે. તમે પણ એ લોકોની જેમ જીવન માર્ગ પર આગળ વધો, જેઓ પ્રગતિના પંથ પર હંમેશાં આગળ વધતા રહ્યાં અને ક્યારેય માર્ગમાં થોભ્યા નહીં. તેઓ જ જીત મેળવી શક્યા છે, અને સફળતા પ્રાપ્ત કરી છે. તમારી પણ જીત થશે, તમે પણ સફળ બનશો. તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો. તમારો આત્મવિશ્વાસ જેમ - જેમ વધતો જશે, તેમ - તેમ જીતનો પડાવ વખાણવા લાયક બનશે અને સફળતા તમારી હશે, તમે જીતી જશો. આ વિશ્વાસ હેમંશા મનમાં જાળવી રાખો. પોતાની શક્તિને ઓળખો તેને જાગ્રત કરો. જીત તમારી થશે.
✦
કોઈપણ કામ કરો, મનથી કરો
રોમનો સમ્રાટ માર્કસ ઓરેલિયસ, એક મહાન દર્શનશાસ્ત્રી અને ચિંતક હતો જ્યારે મનુષ્ય પરેશાનીઓથી ઘેરાઈ જાય છે, ડગલેને - પગલે અડચણો આવે છે, ત્યારે તે વ્યાકુળ થઈ જાય છે. ત્યારે તેને શાંતિ, સમાધાન અને વિવેકની જરૃર પડે છે. આ જ્ઞાન આપણને ત્યારે મહાપુરૃષો, ચિંતકો અને વિદ્વાનો દ્વારા પ્રાપ્ત થાય છે. આવા સંકટના ક્ષણોમાં માર્કસ ઓરેલિયસે જે કાંઈ વિચાર્યું અને જે રીતે પોતાને સમજાવ્યો અને દિલાસો આપ્યો તે બધું જ તેણે સત્ર રૃપમાં લખી લીધું હતું. તેણે તેમાં પોતાને 'તું' કહીએ સંબોધિત કર્યો. તેણે પોતાની મુશ્કેલીઓ, પોતાના પ્રશ્નોને, પોતાને જ કહીને, તેનો ઉકેલ બતાવ્યો. માર્કસના આ વિચારોએ સંસારના અનેક મહાપુરૃષો અને હજારો વાચકોને માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું કે સુખ-દુઃખની દશા આંતરિક છે, બાહ્ય નહીં. તેઓ કહે છે - આખું જગ એક પ્રાણવાન વ્યક્તિ છે, જેના તમે અંગ માત્ર છો. જગનું હિત ચિંતન તમારો સ્વાભાવિક ધર્મ છે. વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જ તમારો ધર્મ છે અને તમારું કલ્યાણ તેમાં જ છે.
માર્કસ ઓરેલિયસે પ્રકૃતિના નિયમની વ્યાખ્યા આપતા કહ્યું છે કે - જગમાં જે કાંઈ પણ થાય છે, તે સારા ઉદ્દેશ્યથી જ થાય છે. અણુઓનું એકત્ર તથા જુદું થવું જ બધી વસ્તુઓના જન્મનું કારણ છે. આ સંસારમાં જે કાંઈ છે તે બધું જ ઈશ્વરાધીન છે. એક અણું પણ તેની વિરુદ્ધ ના જઈ શકે. તમે આ સંસારના એક અંશ માત્ર છો. સંસારિક નીતિને નભાવવા માટે સ્વાભાવિક રીતિથી કોઈ ઘટનાને દુઃખકારક ન સમજો. આ સંસારમાં જેટલી વસ્તુઓ છે, બધી જ પોત-પોતાનો સમય આવતા પરિવર્તિત થાય છે અને નષ્ટ પામે છે. પ્રકૃતિનો આ જ નિયમ છે. આ જ જગનો પ્રાણ છે. આ સત્યને જાણ્યા - સમજયા પછી તમને શાંતિ મળવી જોઈએ. આ તત્ત્વને સમજો અને પોતાનું જીવન ચલાઓ.
મનુષ્યને આ જીવન કેટલાક કર્મો અને કેટલાક કર્તવ્યોના પાલન કરવા માટે મળ્યું છે. જીવનની સાર્થક્તા એમાં જ છે કે આપણે તેના ઉદ્દેશ્યોને પૂરા કરીએ માર્કસે કહ્યું છે - તમે સ્થિર - વિવેક બુદ્ધિ વગર ઘણાં દિવસો વિતાવી દીધા. ઘણો સમય નષ્ટ કર્યો. હવે મોડું ના કરો. હજુ પણ સમય છે. સત્યને જાણી લો અને શાંત કેન્દ્રિત દશા પ્રાપ્ત કરો. આ સંસાર જેના તમે એક અંગ છો, ક્યા પ્રકારનો છે ? આખાય બ્રહ્માંડને ચલાવનાર પરાશક્તી કઈ છે ? તમે એ શક્તિરૃપી અગ્નિથી ઉડેલી એક તણખો છો. તમારા માટે નક્કી થયેલો સમય બહુ અલ્પ છે. અતઃ જ્ઞાનના પ્રકાશને જલદી પ્રવેશ કરવા દો અને અંધકાર રૃપી અજ્ઞાનનો પડદો જે તમારી બુદ્ધિ પર પડેલો છે, તેને હઠાવી દો. તમારો જે સ્વાભાવિક ધર્મ છે, તેને કોઈ પણ દંભ વગર, સરળ હૃદયથી પાલન કરો. જીવ દયા, સ્વાવલંબધન, ન્યાય - આ ત્રણેય વસ્તુઓને ક્યારેય ભૂલશો નહીં. આનાથી શાંતિ મળશે. કોઈ પણ કામ કરો લગનથી કરો, અને ફરીથી તેને કરવાની તક કદાચ જ મળશે. વિવેકને ભૂલાવી દેનારા ઈર્ષ્યા, વેર, ક્રોધનો ત્યાગ કરો. અહંકાર, દંભ, ઈશ્વર પ્રત્યે અસંતોષ - આવી ખરાબ ભાવનાઓને મનમાં ન આવવા દો, તમારા કર્તવ્યોનું પાલન કરો.
આપણે હંમેશા સુખ - દુઃખની ચિંતાથી ઘેરાયેલા રહીએ છીએ. જ્યારે સુખ હોય છે, ત્યારે દુઃખનો ભય હોય છે કે ક્યાંક અમારું આ સુખ છિનવી ન જાય અને દુઃખ આવી પડે. જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ, તો આપણે દરેક ક્ષણ એવી આશાથી હેરાન - પરેશાન રહીએ છીએ છેવટે સુખ ક્યારે આવશે ? પરંતુ માર્કસનુ કહેવું છે કે સુખ - દુઃખની આ માયાજાળ આપણે જાતે જ બનાવી છે. આમાં ઈશ્વરની કોઈ ભૂમિકા નથી હોતી - આથી તેને દોષ આપવો યોગ્ય નથી. માર્કસે આ વિચારને બહુ સરળ રીતે સમજાવ્યો છે - આ દુનિયામાં સારાં માણસ અને દુષ્ટ માણસ બંનેને સુખ અને દુઃખ ભોગવવા પડે છે. સારાં માણસો પર ઓછા દુઃખ અને દુષ્ટો પર વધુ, એવું જોવા મળતું નથી. જેને આપણે સુખ - દુઃખ સમજીએ છીએ, જો તે ખરેખર સુખ - દુઃખ છે, તો ઈશ્વર એવું ક્યારેય ન થવા દેત. દરેક મનુષ્યનું સુખ અને દુઃખ, સારું અને નરસું તેના પોતાના જ હાથમાં છે. માન અને અપમાન, પીડા અને આરામ, ધન અને દરિદ્રતા - લોકોના ગુણો પ્રમાણે નથી મળતા. જો વિચારપૂર્વક જોઈશું, તો જણાશે કે આપણે જેને સારી વસ્તુ કે સુખ સમજીએ છીએ, તે તેવું નથી અને જેને આપણે ખરાબ વસ્તુ કે દુઃખ માનીએ છીએ, તે હકીકતમાં એવું નથી. કોઈ વસ્તુમાં આપણને સુખનો ખોટો આભાસ થાય છે અને આપણે તેના ભ્રમમાં ફસાઈ જઈએ છીએ. કોઈ વસ્તુ આપણને દુખકારક દેખાય છે, આપણે તેની પાસે જતાં અચકાઈએ છીએ. અન્ય કોઈ વસ્તુ આપણી અંદર અહંકાર પેદા કરે છે. જેમ કે ધન આ બધી વાતો અસ્થિર અને ક્ષુદ્ર છે. આનાથી કોઈ લાભ નથી. આથી જુદા જુદા પ્રકારના વિષયોમાં, જેમાં સાચું સુખ ક્યારેય મળવાનું નથી, તેમાં મનને ના ફસાવો. બીજાના મનમાં શું છે, તેને જાણવાની ગૂંચવણમાં ન પડો. તમે તો તમારી અંતરઆત્માને જુઓ, તેને ઓળખવાનો પ્રયત્ન કરો. તમારા આત્માને કઈ રીતે લાભ થશે, તેનો જ વિચાર કરો. આ વિશે જ્ઞાન ન હોવાના કારણે જ મનુષ્ય દુઃખી રહે છે.
માર્કસનું માનવું છે કે જો મનુષ્યનું હૃદય શુદ્ધ અને પવિત્ર છે, તો એ કોઈ પણ કાર્ય કરશે તો તેને તેમાં સફળતા જરૃર મળશે. ખરેખર જરૃર હોય છે તલ્લીનતાની. એકાગ્ર મનથી તમે કોઈ પણ કામ કરો અથવા પરીક્ષા આપો છો તો સફળતા જરૃર મળે છે. જે લોકો તલ્લીનતાથી, કઠણ પરિશ્રમથી અને કેન્દ્રિત શક્તિથી કામ કરે છે. તેઓ જીવનની મુશ્કેલથી પણ મુશ્કેલ પરીક્ષાઓને સફળતાપૂર્વક પાર કરી જાય છે. માર્કસ લખે છે - કંસારા, સુથાર, કારીગરને જુઓ. પોતાના કામની લગનમાં તેઓ નહાવા - ધોવા, ખાવા - પીવાનું બધું જ ભૂલી જાય છે. સુથાર પોતાના કાર્યમાં જે તત્પરતા દેખાડે છે તેનાથી પણ વધુ તત્પરતા પોતાના મનની સ્વચ્છતાને જાળવી રાખવામાં હોવી જોઈએ, કારણ કે તમારો લક્ષ્ય તેનાથી ઊંચું છે. નટીને નાટકની જેટલી ચિંતા હોય છે, એટલી ચિંતા પણ તમે તમારી ભલાઈ માટે નથી કરતા. લોકો પોતાના ફાયદા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે, ના સારી રીતે ખાય - પીએ છે અને ના ચેનથી ઊંઘે છે. તો પછી તમે શા માટે તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે, કે જે અતિ ઉત્તમ છે, કંઈ જ નથી કરી રહ્યા ?
માર્કસે આગળ પણ કહ્યું છે - કોઈ પણ કામ કરો તો તેને મનથી, વિવેકપૂર્ણ, પરહિતને ધ્યાનમાં રાખીને કરો. નકામી વાતો ન કરો. બીજાના કામમાં દાખલ ન કરો. પોતાની વાક્યદૃતાથી ઉણપ છુપાવવાના પ્રયત્ન ન કરો. આપણા હૃદયમાં વસતા ઈશ્વરની પૂજા કરો. ધીરજ અને નીતિથી ક્યારેય ડગે નહીં તેવા રાજા બનો. હૃદયને ઉમદા અને ખુશ રાખો. તમને બીજાની મદદ શા માટે જોઈએ છે ?
✦
મનની એકાગ્રતા વિજય મંત્ર છે–
એક દિવસ હું 'એવરેસ્ટની વાર્તા' વાંચી રહ્યો હતો. આ ફક્ત પર્વતારોહણની વાર્તા નથી, બલ્કે આ સફળતા - અસફળતાની વાર્તા પણ છે, જે પ્રેરણા આપે છે કે ગમે તેટલા ભયંકર તોફાનો આવે મનનો સંકલ્પ, આત્મવિશ્વાસ અને સાહસ તૂટવો ન જોઈએ. તોફાન હારીને પાછું વળી જશે. વિજય તમને પ્રાપ્ત થશે. મેં વાંચ્યું છે કે પર્વતારોહણનો એ સિદ્ધાંત છે કે જ્યારે કોઈ ગ્રુપ કોઈ અભિયાન માટે જાય છે તો તેમાં જુદા જુદા દેશો અને ધર્મના લોકો હોવા છતાં પણ તેઓ એક હોય છે. તેઓ જાતિભેદ, રંગ ભેદ, ધર્મ, દેશ, ભાષા બધું જ ભૂલાવી દઈને પર્વતારોહી ધર્મ નિભાવે છે અને આ ધર્મ છે - બધા એક સમાન છે, કોઈ કોઈનાથી નાના - મોટાં નથી. કોઈ પણ વ્યક્તિ કોઈપણ કામ કરી શકે છે - ભલે પછી તે કુલીનું કામ જ કેમ ન હોય. આ ભાવના સાથે પર્વતારોહી એકબીજાને મદદરૃપ થઈને ઉપર આગળ વધતા જાય છે. પુસ્તક વાંચતા - વાંચતા એક પ્રસંગ મારા મનને સ્પર્શી ગયો કે વાહ ! એકતા અને 'ટીમ-સ્પ્રિટ' હોય તો આવી ! ૧૯૬૩ના અમેરિકી એવરેસ્ટ અભિયાનના સમયનો આ પ્રસંગ છે. આ ટુકડીના નેતા નાર્મન ડિનફર્થ હતા. આ સભ્યોમાં જિમી અને શેરપા ત્વાંગ ગોમ્બૂ પણ હતા. તેમના અભિયાનના રોમાંચક વિવરણ તમે પણ વાંચો - જિમ અને ગોમ્બૂ પાળના સૌથી વધુ ઢાળવાળા ભાગ પર ઉપર જતી વખતે પગ મૂકવાની જગ્યા બનાવી રહ્યા હતા. તે બંને એ પોતાની ઓક્સિજનની અડધી - અડધી બોટલો ૨૮,૪૦૦ ફુટ પર છોડી દીધી હતી. જેથી તેમનો બોજો હલકો થઈ જાય. તેમને વિશ્વાસ હતો કે વ્યક્તિ દીઠ એક બોટલ ઓક્સિજન શિખર સુધી પહોંચવા અને ત્યાંથી પાછા ફરવા માટે પૂરતી હતી. જિમ આગળ હતો અને ગોમ્બૂ તેની પાછળ સાડા અગિયાર વાગે તે લોકો દક્ષિણી શિખર પર પહોંચ્યા, ત્યાં તેમને જાણ થઈ કે બહુ ભયંકર વંટોળ આવી રહ્યો છે. બંને વિચારવા લાગ્યા કે ઉપર જવું ઠીક રહેશે કે નહીં ? જો કે જિમે છેલ્લી પાળના ચિત્રોનો અભ્યાસ કર્યો હતો, હવે તેને એમ લાગી રહ્યું હતું કે ઢાળ બહુ શાર્પ છે અને તેના પર પડાણ કરવું બહુ મુશ્કેલ ભર્યું હતું. થોડી ક્ષણ સુધી તેઓ અચકાયા પરંતુ તરત જ બંને જણ શિખરની વચ્ચમાં આવેલા ઉભરેલા ભાગ પર આવી ગયા, જે ત્રીસ ફુટ નીચે હતો અને ત્યાંથી તેમણે ચડાણનો અંતિમ ભાગ પૂરો કરવાની શરૃઆત કરી. તે બંને બહુ સાવચેતી પૂર્વક આગળ વધી રહ્યાં હતા. જમણી બાજુએ કાંગચુંગના શિખર બાજુ બરફના મોટા - મોટા ઢગલાં હતા અને ડાબી બાજુએ મોટી પહોળી ખડકો હતી. વંટોળનો સામનો કરીને તેઓ હિલેરીની ચિમની પર પહોંચી ગયા અને તેમને કોઈ મુશ્કેલ લાગ્યું નહીં. થોડી વાર પછી તેઓ ઉપર પહોંચ્યા. બરફથી ઢંકાયેલ શિખરની પાસે નાના - નાના ઢગલાં જોવા મળ્યા. જ્યારે જિમે જોયું કે અંતિમ શિખર સામે છે તો તે ગોમ્બૂની રાહ જોવા લાગ્યા. તેના પહોંચ્યા પછી જિમ બોલ્યા -
ગોમ્બૂ, પહેલા તમે આગળ વધો. પરંતુ કદમાં જિમથી ગોમ્બૂ નાનો હતો. તેણે કહ્યું,
ના, પહેલા તમે આગળ ચાલો. આ પછી જિમ બોલ્યા,
ચલો ! એક સાથે જઈએ. અને પછી બંને એકબીજાથી ખભાથી ખભો મિલાવીને આગળ વધ્યા. બંને એકબીજાને મદદ કરી રહ્યા હતા, જેથી હવા તેમને નીચે ન ગબડાવી દે. બપોરનો એક વાગ્યો હતો અને છઠ્ઠા કેમ્પથી નિકળીને સાત કલાક પૂરા થઈ ગયા હતા. શિખર પર પહોંચીને જિમે ચાર ફૂટનો એલ્યુમિનિયમનો દંડો બરફમાં ખોસી દીધો, તેના પર અમેરિકાનો ઝંડો લહેરાઈ રહ્યો હતો.
ઉપર કરવામાં આવેલું વર્ણન વિશ્વ ભાઈચારો, સહઅસ્તિત્વ, અને સહનશીલતાનું સુંદર દૃષ્ટાંત છે. જો જિમ ઈચ્છતો તો તે પહેલા એવરેસ્ટના શિખર પર પહોંચી જાત. પરંતુ એમ ન કરતા તે ગોમ્બૂને સાથે લઈને આગળ વધ્યા. જીવનના સંઘર્ષમાં આપણે એ જ શીખવાનું છે કે હળીમળીને બધાને સાથે લઈને ચાલો.
એવરેસ્ટ - અભિયાન હંમેશાથી પ્રબળ સાહસ અને આત્મવિશ્વાસનું પ્રતિક મનાય છે. મનુષ્યે હાર ના માની. આ એ જ પાઠ છે જે પર્વતારોહી પોતાના વિજય અને સફળતા દ્વારા આપણને શિખવે છે. તેઓ પ્રેરણા આપે છે કે બરફ પર લપસવા છતાં પણ આપણે આગળ જ કદમ ભરવાના છે. ભલેને જીવનમાં ગમે તેટલાં સંઘર્ષ હોય, ગમે તેટલા પડકારો કેમ ના હોય તેમ છતાં મનમાં દૃઢ વિશ્વાસ સાથે અને પ્રબળ સાહસની ભાવનાથી આગળ વધવું જોઈએ. આપણે જોઈ શકીશું કે આપણો માર્ગ આપમેળે સરળ બનતો જાય છે. બસ કોઈ પણ કામ કરો લગનથી કરો. આ લગન એક એવો તણખો છે કે તે મોટા મોટા પર્વતોમાં સુરંગ બનાવીને તેને ધરાશાયી કરી શકે છે, જે રીતે પરમાણું દ્વારા ભયંકર વિસ્ફોટ થાય છે, એ જ રીતે મનની તલ્લીનતા આપણને શિખર પર પહોંચાડી દે છે. કાર્લાઈલે કહ્યું છે, તમારા જીવનનું એક લક્ષ્ય બનાવો અને તે પછી તમારું શારીરિક અને માનસિક બળ, જે ઈશ્વરે તમને આપ્યું છે, તેમાં લગાવી દો.
વિજય તમારો થશે.
એક વિદ્વાને કહ્યું છે - તમારી વિજયી શક્તિ છે - મનની તલ્લીનતા. આ શક્તિ મનુષ્ય - જીવનની સમગ્ર શક્તિઓને એકઠી કરીને માનસિક ક્રાંતિ ઉત્પન્ન કરે છે.
જે મહાન વિભૂતિઓએ પર્વત શિખરો પર વિજય મેળવ્યો છે, જેમણે આકાશની ઊંચાઈઓ અને સાગરના તળિયેથી મોતી કાઢ્યા છે, તેમની કથાઓ, તેમના અનુભવ આપણને પ્રેરણા આપે છે, આપણાં અંતર્મનને જાગ્રત કરે છે અને આપણો વિશ્વાસ મજબૂત બનાવે છે કે આપણો પરિશ્રમ પણ નકામો નહીં જાય. આથી આ વાત યાદ રાખો કે તલ્લીનતા અને પ્રબળ સાહસથી મોટામાં મોટી મુશ્કેલ પરીક્ષાઓમાં સફળતા મેળવી શકાય છે. માર્લેએ કહ્યુ છે - "સંસારના દરેક કાર્યમાં વિજય મેળવવા માટે મનનું તલ્લીન હોવું જરૃરી છે. જે લોકો મનને ચારે બાજુએ ભટકાવે છે અને કામ કરે છે તેમને સેંકડો વર્ષો સુધી સફળતાની કિંમત સમજાતી નથી.
✦
મક્કમ ઈરાદામાં છે અદ્ભુત શક્તિ
એક વખતે ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં એક વિશાળ ખડક પડી હતી. એક શિષ્યે તે ખડકની તરફ આગળી ચીંધીને ભગવાન બુદ્ધને પૂછયું - ભગવાન ! શું આ ખડક પર કોઈની હકૂમત સંભવ છે ?
હા ! પથ્થર કરતાં વધુ શક્તિ લોખંડમાં હોય છે. આથી લોખંડ પથ્થરને તોડીને ટુકડા - ટુકડા કરી નાખે છે,
બુદ્ધે જવાબ આપ્યો. શિષ્યે ફરી સવાલ પૂછ્યો, તો પછી લોખંડથી પણ કોઈ વસ્તુ શ્રેષ્ઠ હશે."
કેમ નહીં !
ભગવાન બુદ્ધે જવાબ આપ્યો, અગ્નિ છે ને ! અગ્નિ લોખંડના અહંકારને ઓગાળીને દ્રવ્ય રૃપ બનાવી દે છે.
શિષ્યે પૂછ્યું, તો પછી અગ્નિની વિશાળ જ્વાળા સામે ભલા કોઈની શી હિંમત !
જળ જ એકમાત્ર એવું છે જે અગ્નિના તાપને નષ્ટ કરીને શીતળતા પ્રદાન કરે છે.
બુદ્ધે કહ્યું.
તો પછી જળથી ટકરાવવાની શક્તિ કોનામાં હશે, દર વર્ષે પૂર તથા અતિવૃષ્ટિ દ્વારા જન અને ધનની અપાર હાનિ થાય છે.
શિષ્યે કહ્યું.
આવું શા માટે વિચારો છો વત્સ ?
બુદ્ધે સમજાવ્યું. આ સંસારમાં એકથી ચઢીને એક શક્તિશાળી પડ્યા છે. વાયુનો પ્રવાહ જળધારાની દિશા બદલી નાખે છે. સંસારમાં દરેક પ્રાણી વાયુનો મહત્ત્વ જાણે છે કારણ કે આના વગર તેના જીવનનું મહત્ત્વ જ શું છે ? જ્યારે વાયુ જ જીવન છે, તો પછી આનાથી વધુ શક્તિશાળી કોણ હોઈ શકે ?
શિષ્યનો પ્રશ્ન હતો.
મનુષ્યનો મક્કમ ઈરાદો, જેના દ્વારા વાયુ પણ વશમાં થઈ જાય છે. મનુષ્યની આ શક્તિ જ સૌથી મોટી શક્તિ છે.
બુદ્ધે કહ્યું.
મક્કમ ઈરાદો સૌથી પ્રબળ છે એમા કોઈ સંદેહ નથી.
જીવનના દરેક ક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિએ સફળતા મેળવવાનો મૂળ મંત્ર, તેની સંકલ્પ શક્તિ અથવા તેનો મક્કમ ઈરાદો છે. જે વ્યક્તિ એકાગ્ર થઈને કોઈ કામને કરવા માટે મનમાં દૃઢ ઇચ્છા અથવા સંકલપ્ન શક્તિને જાગ્રત કરે છે, તો ચોક્કસ સફળ થાય છે. કારણ કે તે મોટામાં મોટા વિઘ્નોને પણ પાર કરી જાય છે. સંસારમાં જે જે લોકોએ મહાન કાર્યો કર્યા છે, તેમણે સફળતાનો ઈતિહાસ લખવામાં એ સ્પષ્ટ કર્યું છે કે પોતાના મક્કમ ઈરાદાના કારણે જ તેઓ શિખર સુધી પહોંચી શક્યા.
એક વિદ્વાને લખ્યું છે - 'દૃઢ સંકલ્પમાં અદ્દભુત શક્તિ છે. તેના દ્વારા પ્રેરાઈને વ્યક્તિ મક્કમતા તથા લગની સાથે આગળ વધે છે. મક્કમ ઈરાદો પાછા ફરવાના બધા રસ્તા બંધ કરી દે છે અને આગળના વિઘ્નોને કચડી નાખે છે."
અબ્રાહમલિકને સ્વાધીનતા સંઘર્ષના સમયે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે મેં ઈશ્વર સામે પ્રતિજ્ઞા કરી છે કે હું આ કામને જરૃર પૂરું કરીશ. એ પ્રતિજ્ઞાએ જ તેમને એ શક્તિ આપી, જેના કારણે તે એ કાર્યને પૂરું કરી શક્યા. પોતાના લક્ષ્ય નિરધાર નક્કી થાય ત્યારે જ મન-મસ્તિષ્કની સમગ્ર શક્તિઓ તથા યોગ્યતાઓ એક બિંદુ પર કેન્દ્રિત થઈ જાય છે અને ત્યારે જ ઈષ્ટ કે મનવાંછિત સફળતાનો માર્ગ સરળ તથા સુનિશ્ચિત થાય છે. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે જે કોઈ પણ વસ્તુની ઇચ્છા આપણે મનમાં કરીએ છીએ, તેની તરફ આપણી સંપૂર્ણ શારીરિક તથા માનસિક શક્તિઓ લાગી જાય છે. મનમાં સંકલ્પના રૃપે ઉભરતી આશાઓ - આકાંક્ષાઓ જ સમય જતાં જીવનમાં મૂર્ત કે સાકાર રૃપ લે છે. પ્રખ્યાત વિચારક કેન્ડીએ કહ્યું છે, જ્યારે તમારા હૃદયમાં કોઈ પદાર્થ પ્રત્યે તીવ્ર ઇચ્છા જાગ્રત થાય છે તો એ સમજી લો કે પરમાત્માએ તમારા માટે વિશેષ રીતે તેને સુરક્ષિત રાખ્યું છે. જો તમારામાં લક્ષ્ય પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ છે, તો તમને આમાં સફળતા જરૃર મળશે.
તમારે તમારું લક્ષ્ય, ઉદ્દેશ્ય અથવા હેતુ તો નક્કી કરવો જ પડશે. તેના વગર તમે એક પગલું પણ આગળ નહી વધી શકો. સાચું પૂછો તો આ સાબિત થઈ ચૂકેલી વાત છે કે ઉદ્દેશ્ય વગર વ્યક્તિના જીવનનું કોઈ મહત્ત્વ નથી. ઉદ્દેશ્ય વગરનું જીવન સુકાન વગરની નાવ, જે લહેરોમાં ભટકતી રહે છે તે સમાન હોય છે. તમે જીવનમાં કોઈ પણ ઉદ્દેશ્ય નક્કી કરો, પછી તેને પૂરું કરવા માટે સુનિશ્ચિત પગલાં લો. ફક્ત વિચારી લેવાથી અથવા ઉદ્દેશ્ય નક્કી કરી લેવાથી જ તેની પૂર્તિ નથી થઈ જતી. ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે અંત સુધી સાવધ - જાગ્રત રહેવાની જરૃર છે. જ્યારે અભિનેતા વિલ્ફટન કાપડેએ અભિનય શરૃ કર્યો તો લોકોનું કહેવું હતુ કે તે ક્યારેય અભિનય નહીં કરી શકે. પરંતુ કાપેડ પોતાના નિશ્ચય પર અડગ હતો. તે પતોાના અભિનયમાં બરોબર સુધાર કરતો રહ્યો, સતત તેમાં સાવધ અને જાગ્રતા રહ્યો અને એક દિવસ તે અમેરિકાનો સ્ટાર બની ગયો. તેની સફળતાનું રહસ્ય ફક્ત એટલું હતું કે તેણે પોતાની સમગ્ર શક્તિઓને પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત કરી દીધી હતી. જ્યાં સુધી વ્યક્તિ પોતાના જીવનની બધી શક્તિ કોઈ કાર્યમાં નથી લગાવતો, ત્યાં સુધી તે કોઈ સંગીન સફળતાની આશા ન રાખી શકે. અમેરિકી રાષ્ટ્રપતિ રુઝવેલ્ટના જીવનનું મોટું રહસ્ય એ જ હતું કે તે સંપૂર્ણ જીવન શક્તિને મક્કમ ઈરાદાથી લક્ષ્ય પર કેન્દ્રિત કરતા હતા. જે પણ કામ તેઓ હાથમાં લેતા હતા. તેમાં પોતાની પૂરી શક્તિ, પૂરું સામર્થ્ય ભેગું કરીને લગાવી દેતા હતા.
આથી જ કહેવાય છે કે સફળતાની પ્રબળ ઇચ્છા ધરાવનાર વ્યક્તિ માટે મનની એકાગ્રતા અનિવાર્ય શરત છે. જો આપણે શક્તિઓને એક જ સમયે ઘણાં બધી વાતો કે કાર્યોમાં વહેંચી દઈએ તો સફળતા મળવામાં શક રહે છે. બધી જ મહાન વ્યક્તિઓએ મનની એકાગ્રતા પર ભાર આપ્યો છે. તેઓ પોત - પોતાના ઉદ્દેશ્યો સિવાયની વાતો પર ધ્યાન જ નથી આપતા. સ્વેટ મોર્ડને લખ્યું છે કે આનાકાની અથવા દુવિધા વ્યક્તિની નબળાઈની નિશાની છે. વ્યક્તિ બે કારણોથી અસફળ રહે છે અને દુઃખી થાય છે - એક છે પોતાની યોજના માટે