Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

તેડાયેલા ઘણા છે
તેડાયેલા ઘણા છે
તેડાયેલા ઘણા છે
Ebook315 pages2 hours

તેડાયેલા ઘણા છે

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

દેવે ખરેખર ઘણા લોકોને તેડયા છે. પૃથ્વી પર આપણું જીવન તેમની સેવા કરવા માટેની તક છે, અને તેમના રાજ્ય માટે તમે જે કરી રહ્યા છો તેના પર દેવની નજર છે. આ પુસ્તક ઉત્તેજક વાંચન પૂરું પાડે છે. લેખક વડે આપવામાં આવેલ આ સત્યોને જો તમે આત્મસાત કરી લો તો તમારા જીવનને ખરી રીતે ઉપયોગ કરવાની તકોનો ઉપયોગ કરવાનું જ્ઞાન તમે પ્રાપ્ત કરશો.

Languageગુજરાતી
Release dateMay 30, 2018
ISBN9781641346085
તેડાયેલા ઘણા છે
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to તેડાયેલા ઘણા છે

Related ebooks

Reviews for તેડાયેલા ઘણા છે

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    તેડાયેલા ઘણા છે - Dag Heward-Mills

    પ્રકરણ ૧

    શા માટે તમે હજુ જીવિત છો?

    કેમ કે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઇસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે; તે સારી કરણીઓ વિષે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ.              

    એફેસી ૨:૧૦

    મારે એકવાર મધ્ય લંડનની આજુબાજુ મને લઇ જનાર કાળી ગાડીના અંગ્રેજી ડ્રાયવર સાથે વાતચીત થઇ. મેં તેને પૂછ્યું કે, શું તે દેવમાં માને છે? 

    તેણે કહ્યું, ચોક્કસપણે નહિ. હું દેવમાં માનતો નથી.                                   પછી મેં તેને પૂછ્યું, શું તું નર્કમાં માને છે?                                                                                                                                              ખરેખર નહિ તેણે સણસણતો જવાબ આપ્યો.                                                                                                                                         

    મેં પૂછવાનું ચાલુ રાખ્યું, શું તું સ્વર્ગમાં માને છે?                                                                                                                                                     હું આવી કોઈ બાબતમાં માનતો નથી.                                                                                                                                                પછી ગાડીના ડ્રાયવરે મને કહ્યું મારે તમને એક પ્રશ્ન પૂછવો છે.                   જરૂર, વિના સંકોચે, તમે જે પણ પ્રશ્ન પુછવા માગો છો તે પૂછો  મેં પ્રત્યુત્તર આપ્યો.          

    તેણે મને પૂછ્યું, શું તમે સ્વર્ગમાં માનો છો?                                              જરૂર, હું માનું છું મેં જવાબ આપ્યો.                                                      તો પછી મને એક બીજો પ્રશ્ન પૂછવા દો તેણે કહ્યું, જો તમે એમ માનો છો કે તમે સ્વર્ગમાં જશો, તો તમે અત્યારે જ જાતે મૃત્યુ પામીને સ્વર્ગમાં કેમ જતા નથી? તેના પછી તો તમે બધા બીલો, દેવું અને આ જગતની બધી સમસ્યાઓથી મુક્ત થઈ જશો."

    મને આંચકો લાગ્યો. મેં આવા પ્રશ્નની તો અપેક્ષા જ નહોતી રાખી. પણ તેની વાતમાં દમ હતો. મને લાગ્યું કે જો સ્વર્ગ એટલું બધું ઉત્તમ છે તો, અત્યારે હું આ પૃથ્વી પર શું કરી રહ્યો છું? શા માટે હું મૃત્યુ પામીને અત્યારે જ આ દુઃખોથી ભરેલી દુનિયાને છોડીને ચાલ્યો જતો નથી?  

    હું વિચાર કરવા લાગ્યો, તે બહુ સારો પ્રશ્ન છે પરંતુ હું તેને જવાબ આપું તે પહેલા તો અમે અમારા મુકામે આવી પહોંચ્યા.

    તે ગાડીના ડ્રાયવર સાથેની વાતચીત પછી હું તેના પ્રશ્નનો જવાબ અલગ અલગ જન સમુદાયોને આપી રહ્યો છું કે ઉધ્ધાર પામ્યા પછી તરત જ આપણે સ્વર્ગમાં શા માટે જતા નથી? 

    જો કે દેવે આપણા જીવનોને સ્પર્શ્યા છે અને આપણને સ્વર્ગનો વાયદો કર્યો છે, તેમ છતાં આપણે આ પૃથ્વી પર કંઇક કામ કરવાનું છે. દેવ માટે આપણે કેટલીક બાબતો સિધ્ધ કરવાની છે. દેવ તેના મહાન પ્રેમના પ્રત્યુત્તરરૂપે આપણે તેના કાર્ય માટે આપણી જાતને ધરી દઈએ તેવી અપેક્ષા રાખે છે. 

    જયારે આપણે ઈસુની પાસે આવીએ છીએ ત્યારે તે આપણા પાપનો બોજ અને અંધકાર લઇ લે છે અને આપણને તેનો બોજ આપે છે. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝુંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. (માથ્થી ૧૧:૨૮-૨૯). ખ્રિસ્તનો બોજ શું છે? તે તો આ જગતના નાશમાં જનારા આત્મોઓનો બોજ છે.

    તે બહુ આશ્ચર્યની વાત છે કે મોટા ભાગના ખ્રિસ્તીઓ એ સમજણ વિના પોતાના જીવનો વ્યતીત કરે છે કે તેઓ જીવિત એટલા માટે છે કે તેઓ દેવ માટે કંઇક કરી શકે. તેઓ એટલા માટે જીવિત નથી કે તેઓ પોતાના માટે મકાનો બનાવી શકે અને આ જગતની સારી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે. તેઓ એટલા માટે જીવિત નથી કે તેઓ વધુ નાણા પ્રાપ્ત કરી શકે અને આ જગતમાં ધનનો સંગ્રહ કરી શકે. આપણા જીવિત હોવાનું એક માત્ર કારણ છે કે જેણે આપણા માટે  સર્વસ્વનો ત્યાગ કર્યો તે ઉધ્ધારકર્તાની સેવા આપણે કરીએ. તે નિરાશાજનક વાસ્તવિકતા છે કે મંડળીમાં અપાતું મોટા ભાગનું શિક્ષણ ખ્રિસ્તીઓને તેમના જીવિત રહેવાના ખરા ઉદ્દેશ્યથી દૂર લઇ જઈ રહ્યું  છે. 

    ચાલો આપણે આપણા દેવ, આપણા ઉદધારકર્તા અને આપણા રાજા કે જેણે આપણા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો તેના વિષે વિચારીએ.. તેણે સર્વસ્વ છોડી દીધું....જેથી આપણે તેના મિત્રો બની શકીએ. ૧મને ખબર છે કે આપણે ભાગ્યે જ આપણા ઉદધારકર્તા અને આપણા રાજા વિષે વિચારીએ છીએ. જેણે આપણા માટે સર્વસ્વ આપી દીધું તેના વિષે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. તેના કારણે આપણે ભાગ્યે જ સર્વસ્વ આપી દઈએ છીએ. તેથી જ આપણે દેવના રાજ્યની બાબતમાં આટલા બધા વાંઝીયા અને ફળવિહીન છીએ.

    ૧ ટોમ્મી વોકેરની રચના, ચાલો આપણે, આપણા દેવ વિષે વિચારીએ, માંથી.

    પ્રકરણ ૨

    ઘણા ખ્રિસ્તીઓ તેડાયેલા છે

    જો તમે દેવ હોત અને તમારે ૬ અબજ લોકોને બચાવવાના હોત, તો તમે શું કરત? શું તમે તેઓને બચાવવા, એક અથવા બે વ્યક્તિઓને મોકલ્યા હોત કે ઘણા લોકોને મોકલ્યા હોત? જરૂરથી, તમે ઘણા લોકોને કાપણીના ખેતરમાં  મોકલ્યા હોત. અને એ જ પ્રમાણે દેવે પણ કર્યું છે. તેમણે ઘણા લોકોને તેડયા છે! મંડળીઓની પ્રથમ હરોળમાં બેસતા થોડા પાળકોને જોઇને ભરમાતા નહિ. તેનાથી એવી છાપ ઊભી થાય છે, કે થોડા જ લોકોને તેડવામાં આવેલા છે, અથવા સભામાંના મોટા ભાગના લોકો તેડાયેલા નથી. ખરેખર તો એ તેનાથી વિપરીત છે. ઘણા, માત્ર થોડા પાળકો જ નહિ, આ જગતને બચાવવાના કાર્ય માટે તેડાયેલા છે.

    દેવના તેડા વિષેની પાંચ હકીકતો

    ૧. તેડાયેલા ઘણા છે

    કેમ કે તેડાયેલા ઘણા છે, પણ પસંદ કરાયેલા થોડા છે.                              

    માથ્થી ૨૨:૧૪

    તેડાયેલા ઘણા છે એટલે  શું ?

    તેડાયેલા ઘણા છે એટલે કે વિશાળ સંખ્યામાં લોકોને તેડવામાં આવેલા છે.

    તેડાયેલા ઘણા છે એટલે કે જનસમુદાયોને તેડવામાં આવેલા છે.

    તેડાયેલા ઘણા છે એટલે કે બહુ મોટી સંખ્યામાં  લોકોને તેડવામાં આવેલા છે.

    તેડાયેલા ઘણા છે એટલે કે સંખ્યાબંધ  લોકોને તેડવામાં આવેલા છે.

    તેડાયેલા ઘણા છે એટલે કે અગણિત લોકોને તેડવામાં આવેલા છે. 

    તેડાયેલા ઘણા છે એટલે કે ઘણા બધા લોકોને તેડવામાં આવેલા છે.

    તેડાયેલા ઘણા છે એટલે કે બહુમતીમાં  લોકોને તેડવામાં આવેલા છે.

    તેડાયેલા ઘણા છે એટલે મોટા ભાગના લોકોને તેડવામાં આવેલા છે.

    એ દુ:ખની વાત છે કે, મોટા ભાગના પાળકો તેમની મંડળીઓની સાથે જાણે કે એ લોકો તેડું પામ્યા વગરના હોય તેવો વ્યવહાર કરે છે. તેઓ જાણે કે દેવ માટે વધુ કંઈ કરી શકે તેમ ના હોય તેવી રીતનો સંબંધ પાળકો તેમની સાથે રાખતા હોય છે. મોટા ભાગના પાળકો તેમના સભાજનોને કેવી રીતે ઉત્તમ જીવન જીવવું તે વિષે શિક્ષણ આપે છે. મોટા ભાગનો ઉપદેશ આપણે, આપણા જીવનો, આપણા લગ્નો, આપણા ઘરો, આપણા નાણા, વગેરે વિષે હોય છે. આ પ્રકારનો ઉપદેશ આજના જેવા વિશાળ, સ્વાર્થી અને વાંઝીયા સમુદાયોને પેદા કરે છે. પાળકો, પ્રેરિતો, સુવાર્તિકો અને શિક્ષકોએ તો સંતોને સંપૂર્ણ બનાવવાના છે જેથી તેઓ સેવાનું કાર્ય કરે. વળી સુવાર્તિકો કે સામાન્ય રીતે જેઓની પાસેથી આત્માઓ જીતવાની અપેક્ષા રાખવામાં આવતી હોય છે તેઓનું પણ પ્રાથમિક કાર્ય તો સંતોને સંપૂર્ણ બનાવવાનું છે જેથી તેઓ સેવાનું કાર્ય કરે. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારુ, તેણે કેટલાએક પ્રેરિતો, કેટલાએક પ્રબોધકો, કેટલાએક સુવાર્તિકો અને કેટલાએક પાળકો તથા ઉપદેશકો આપ્યા. (એફેસી ૪:૧૧-૧૨)   

    ૨. ફળવંત થવા અંગે એક તેડું હોય છે.

    તમારે તેડાનો સાદ સાંભળવાની જરૂર નથી; તમે પહેલેથી જ તેડાયેલા છો.

    કીથ ગ્રીન

    આપણને શું કરવા માટે તેડવામાં આવ્યા છે? શું આપણને પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્તિકો અને શિક્ષકો બનવા માટે તેડવામાં આવ્યા છે? એનો સરળ જવાબ છે," ના. આપણામાંથી મોટા ભાગનાને આ પ્રકારનું અજાયબ જેવું તેડું મળ્યું નથી. સામાન્ય રીતે, આપણને ફળવંત થવા માટે તેડવામાં આવ્યા છે.

    તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારા ફળ કાયમ રહે; જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માંગો તે તમને તે આપે.                                            

    યોહાન ૧૫:૧૬

    જો આપણે આપણા ખ્રિસ્તી શિક્ષણનું તેના તાર્કિક ઉપસંહાર પ્રમાણે પાલન કરીએ, તો મોટા ભાગના ખ્રિસ્તીઓ બલિદાનની ભાવના ધરાવનારા અને દેવ માટે કંઈક કરનારા બની જાય. આજના મોટા ભાગના ખ્રિસ્તીઓનું સૌથી નિરાશાજનક અને કદાચ સૌથી હીણપતભર્યું લક્ષણ એ છે કે કેટલું થોડું આપણે ખ્રિસ્ત માટે કરીએ છીએ. અદભુત પ્રેમ અને કૃપાના કાર્ય વડે આપણો ઉદધાર કરવામાં આવ્યો છે પરંતુ આપણે બીજાઓને બચાવવા કંઈપણ મૂકી દેવા માટે તૈયાર નથી. દેવ  માટે કશું જ કર્યા વિના પોતાના જીવનોને વેડફી દેનાર ખ્રિસ્તીઓને જોઇને નિરાશા ઉત્પન્ન થાય છે.

    ૩. કેટલાક લોકોને અજાયબ રીતે તેડવામાં આવ્યા છે.    

    તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબુક્યો. તે ભોંય પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે, પ્રભુ, તું કોણ છે? તેણે કહ્યું કેહું ઈસુ છું કે જેને તું સતાવે છે; પણ તું ઊઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.             

    પ્રેરિતોના કૃત્યો ૯:-

    પ્રેરિત પાઉલને બહુ અજાયબ અને ધ્યાનાકર્ષક રીતે તેડવામાં આવ્યો હતો. તેણે સ્વર્ગમાંથી આવતો તેજોમય પ્રકાશ જોયો. અને તેની સાથે બોલતી વાણી સાંભળી. તે ભોંય પર પડી ગયો અને કેટલાક દિવસો સુધી અંધ રહ્યો. કમનસીબે, જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાને થયેલ અનુભવ વિષે વાત કરે છે ત્યારે દરેક જણ પોતાને પણ તેવો જ અનુભવ થાય તેવી ઈચ્છા રાખે છે. પ્રત્યેક વ્યક્તિ પ્રકાશ જોવાની અને વાણી સાંભળવાની ઈચ્છા રાખે  છે; નહીંતર, પોતે તેડાયેલા છે તેવો વિશ્વાસ કરશે નહિ. પરંતુ દેવને એક ચોકઠામાં ગોઠવી શકાતા નથી અને સમયે સમયે પહેલેથી જ આગાહી કરી શકાય તેવી રીતે પુનઃ કાર્ય કરશે તેવી અપેક્ષા દેવ પાસેથી રાખી શકાતી નથી. 

    મેં વાંચ્યું હતું કે કેનેથ હગીન કેવી રીતે હૃદય સંબંધિત બિમારીમાંથી સાજાપણું પામ્યા અને મરણ પથારીમાંથી ઉઠયા, તે મને યાદ આવે છે. એકવાર હું બિમાર હતો અને એવા જ અનુભવનો દંભ કરવાની કોશિશ મેં કરી. હું તમને જણાવી દઉ, મારા વહાલા મિત્રો, કેનેથ હગીનને થયેલા અનુભવને પ્રાપ્ત કરવાની કોશિષમાં હું લગભગ મરણની સમીપ પહોંચી ગયો હતો. મારો વિશ્વાસ કરો, દેવ અલગ અલગ લોકોની સાથે અલગ અલગ રીતે વ્યવહાર કરે છે.          

    ૪. કેટલાક લોકોને બહુ સામાન્ય રીતે તેડવામાં આવ્યા છે.

    તેણે કહ્યું કે બહાર આવીને પર્વત પર યહોવાની સંમુખ ઊભો રહે. અને જુઓ, યહોવા ત્યાં થઈને જતો હતો, ભારે તથા જોરાવર વાયુ પર્વતોને ફાડતો, તથા યહોવાની સંમુખ ખડકોના ટુકડે ટુકડા કરતો હતો; પણ એ વાયુમાં યહોવા નહોતો. અને વાયુ પછી ધરતીકંપ થયો; પણ એ ધરતીકંપમાં યહોવા નહોતો; અને ધરતીકંપ પછી અગ્નિ પ્રગટયો; પણ તે અગ્નિમાં યહોવા નહોતો. અને અગ્નિ પછી એક કોમળ ઝીણો સાદ સંભળાયો. (૧ રાજા ૧૯:૧૧-૧૨)

    નાટયાત્મક રીતે દેવનો અનુભવ કરવો તે મહાન બાબત છે. આપણે બધા જ દેવ સાથેના દર્શનીય અનુભવની ઝંખના રાખીએ છીએ. એક ઉપદેશક તરીકે, મેં પણ આવા દર્શનીય અનુભવની ઝંખના રાખી કે જેથી કરીને મને જે અનુભવ થાય તે વાત હું આવીને જન સમુદાયને જણાવી શકું. મને હંમેશા આવું લાગ્યું છે કે તેનાથી હું સામર્થ્યવાન દેખાઇશ. હે દેવ દયા કરો! 

    મારા અંદાજ પ્રમાણે મોટા ભાગના લોકો સાધારણ રીતે તેડવામાં આવેલા છે અને તેને લીધે તેઓ પોતાના તેડાને ટાળે છે. લોકોને તેડવામાં આવેલ છે તે વિષે જયારે હું પ્રચાર કરું છું ત્યારે મને એ ભાન થાય છે કે તેઓના હૃદયની ઊંડાણમાં રહેલ કંઇક બાબત જાગૃત થાય છે. ઘણાં લોકોને તેડવામાં આવેલ છે પણ સામાન્ય રીતે તેઓને તેની જાણ નથી. તેઓ તો અજાયબ રીતે તેડું મળે તેની રાહ જુએ છે. પરંતુ તેડું તો મોટેભાગે સામાન્ય રીતે મળતુ હોય છે. વરિષ્ઠ પ્રબોધકો જેવા કે એલિયાએ ઈશ્વરનું તેડું અજાયબ અને ધ્યાનાકર્ષક રીતે મળે તેની વાટ જોવાની ભૂલ કરી. જો તમે આવી રીતનું તેડું તમને મળે તેની રાહ જોવાનું ચાલુ રાખશો તો તમે તમારો આશીર્વાદ ગુમાવી દેશો. "અને જુઓ, યહોવા ત્યાં થઈને જતો હતો, ભારે તથા જોરાવર વાયુ પર્વતોને ફાડતો, તથા યહોવાની સંમુખ ખડકોના ટુકડે ટુકડા કરતો હતો; પણ એ વાયુમાં યહોવા નહોતો. અને વાયુ પછી ધરતીકંપ થયો; પણ એ ધરતીકંપમાં યહોવા નહોતો: અને ધરતીકંપ પછી અગ્નિ પ્રગટયો; પણ તે અગ્નિમાં યહોવા નહોતો. અને અગ્નિ પછી એક કોમળ (શાંત) ઝીણો સાદ સંભળાયો. એલિયાએ એ સાંભળ્યો ત્યારે એમ થયું કે પોતાનું મુખ પોતાના ઝભ્ભાથી ઢાંકીને તે બહાર નીકળ્યો, ને ગુફાના મોં આગળ ઊભો રહ્યો. અને જુઓ, તેની પાસે એક એવો સાદ આવ્યો કે એલિયા, તું અહીં શું કરે છે?" (૧ રાજા ૧૯:૧૧-૧૩).

    ૫. કેટલાક લોકો તેમની પોતાની ઈચ્છાઓ દ્વારા તેડવામાં આવેલા છે

    જો કોઈ માણસ અધ્યક્ષપદની ઈચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઈચ્છા રાખે છે, એ વચન માનવા યોગ્ય છે

    Enjoying the preview?
    Page 1 of 1