Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

અતૂટ પ્રેમબંધન
અતૂટ પ્રેમબંધન
અતૂટ પ્રેમબંધન
Ebook164 pages1 hour

અતૂટ પ્રેમબંધન

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

પ્રેમ ! પ્રેમની ક્યાંય અભિવ્યક્ત ન હોય. પ્રેમ તો હરક્ષણ અભિવ્યક્ત થતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. તમે પાસ છો કે દૂર કોઈ ફરક પડતો નથી. જો પ્રેમ સાચો હોય તો તેનું રૂપ બદલતો નથી. જો પ્રેમ સાચો હોય તો ક્યારેય મરતો નથી.તે હંમેશાં એકબીજાના દિલમાં અમર બનતો હોય છે. આવો અમરપ્રેમ જો કોઈ વ્યકિત કરતું હોય તો આવું વ્યકિત ભાગ્યે જ મળતું હોય છે. ઘણા એકબીજાને મેળવીને પણ પ્રેમ તત્ત્વ માટે તરસતા હોય છે અને ઘણા દૂર રહીને પણ પ્રેમ તત્ત્વથી ભરપૂર હોય છે.

   આ નવલકથામાં ચાંદ અને રૂપના પ્રેમના અતૂટબંધનની વાત કરવામાં આવી છે. આ નવલકથા વાંચતા તમે એક નવી જ દુનિયામાં સફર કરશો. આ નવલકથામાં તમને આનંદ, શોક, હાસ્ય, કરુણા, દુઃખ જેવાં રસો માણવાના મળશે. આ નવલકથા તમને એક નવો જ રોમાન્ચ આપશે. એક વખત વાંચવા બેઠા પછી તમને એને છોડવાનું મન નહીં થાય એની હું ખાતરી આપું છું. પ્રેમ દુનિયામાં અલૌકિક તત્ત્વ છે જે એકબીજાને જોડી રાખવાનું કામ કરે છે. આવા જ પ્રેમનો તમે અનુભવ આ નવલકથામાં કરવાના છો.નવલકથાના પાત્રો આવા અતૂટ બંધનથી જોડાયેલા છે જે તમને વાંચતા એનો અનુભવ કરશો. તો પ્રેમની અલૌકિક દુનિયામાં ખોવાઈ જવા તૈયાર થઈ જાઓ ' અતૂટ પ્રેમ બંધન.

​​​​​

 

Languageગુજરાતી
Release dateOct 15, 2023
ISBN9798223535348
અતૂટ પ્રેમબંધન

Related to અતૂટ પ્રેમબંધન

Related ebooks

Reviews for અતૂટ પ્રેમબંધન

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    અતૂટ પ્રેમબંધન - Vijay Parmar 'Veer'

    અતૂટ પ્રેમબંધન

    ––––––––

    વિજય પરમાર 'વીર'

    નિર્મોહી પ્રકાશન

    મહેસાણા, ગુજરાત

    Nirmohimagazine@gmail.com

    COPYRIGHT © 2023 ATUT Prembandhan, Vijay Parmar 'Veer'

    All Rights Reserved.

    This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations   embodied   in critical   articles and reviews. 

    The Author of this book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Antarnad 2. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book.

    અર્પણ

    સ્વ. કાન્તાબેન પરમાર મારા માતૃશ્રીના ચરણોમાં મારું પ્રથમ પુસ્તક અર્પણ કરું છું.

    • અતૂટ પ્રેમબંધન

    • કૉપિરાઇટ ૨૦૨૩ ©વિજય પરમાર ‘વીર’

    • અતૂટ પ્રેમબંધન

    • વિજય પરમાર ‘વીર’

    • કિંમત – ૨૫૦ /-

    •  ISBN

    • પ્રકાશન -

    નિર્મોહી પ્રકાશન

    મહેસાણા, ગુજરાત.

    મો. નં. – 9624244390

    ઇમેલ આઇડી – nirmohimagazine@gmail.com

    પ્રસ્તાવના

    પ્રેમ ! પ્રેમની ક્યાંય અભિવ્યક્ત ન હોય. પ્રેમ તો હરક્ષણ અભિવ્યક્ત થતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. તમે પાસ છો કે દૂર કોઈ ફરક પડતો નથી. જો પ્રેમ સાચો હોય તો તેનું રૂપ બદલતો નથી. જો પ્રેમ સાચો હોય તો ક્યારેય મરતો નથી.તે હંમેશાં એકબીજાના દિલમાં અમર બનતો હોય છે. આવો અમરપ્રેમ જો કોઈ વ્યકિત કરતું હોય તો આવું વ્યકિત ભાગ્યે જ મળતું હોય છે. ઘણા એકબીજાને મેળવીને પણ પ્રેમ તત્ત્વ માટે તરસતા હોય છે અને ઘણા દૂર રહીને પણ પ્રેમ તત્ત્વથી ભરપૂર હોય છે.

    આ નવલકથામાં ચાંદ અને રૂપના પ્રેમના અતૂટબંધનની વાત કરવામાં આવી છે. આ નવલકથા વાંચતા તમે એક નવી જ દુનિયામાં સફર કરશો. આ નવલકથામાં તમને આનંદ, શોક, હાસ્ય, કરુણા, દુઃખ જેવાં રસો માણવાના મળશે. આ નવલકથા તમને એક નવો જ રોમાન્ચ આપશે. એક વખત વાંચવા બેઠા પછી તમને એને છોડવાનું મન નહીં થાય એની હું ખાતરી આપું છું. પ્રેમ દુનિયામાં અલૌકિક તત્ત્વ છે જે એકબીજાને જોડી રાખવાનું કામ કરે છે. આવા જ પ્રેમનો તમે અનુભવ આ નવલકથામાં કરવાના છો.નવલકથાના પાત્રો આવા અતૂટ બંધનથી જોડાયેલા છે જે તમને વાંચતા એનો અનુભવ કરશો. તો પ્રેમની અલૌકિક દુનિયામાં ખોવાઈ જવા તૈયાર થઈ જાઓ ' અતૂટ પ્રેમબંધન’.

    સ્વીકૃતિ

    આ નવલકથા લખવા માટે મને હરહંમેશ સાથ આપનાર તથા પ્રોત્સાહન પુરું પાડનાર એવા મારા અર્ધાંગિની શ્રીમતી મિત્તલ મકવાણા 'મિત'નો આભાર વ્યક્ત કરું છું. આપનો સાથ હંમેશાં મળ્યો છે એ બદલ દિલથી આભાર.

    શુભેચ્છા સ્પંદન

    પ્રેમ, પ્રેમ અને પ્રેમ. સંસારને જોડી રાખતું તત્ત્વ પ્રેમ છે. પ્રેમ એ પૂજા છે. પ્રેમ એ સાધના છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે એના આત્માને ઓળખો છો. તેના આત્માને પ્રેમ કરો છો. જે તમારી સાથે જન્મોજન્મ જોડાઈ રહે છે. અતૂટ પ્રેમબંધન એવા અમરપ્રેમ પર સુંદર નવલકથા લઈને આવનાર લેખકશ્રી વિજયકુમાર 'વીર'ને હું હ્રદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છુ. વાંચકમિત્રોને તેમની નવલકથા ખૂબ પસંદ આવે તેવી શુભેચ્છાઓ.

    પ્રેમના અતૂટબંધનમાં બંધાયેલ વિજયકુમારના પત્ની

    મિત્તલ વિજયકુમાર પરમાર

    સાહિત્યમાં નવોદિત લેખક એવાં વિજયભાઈ પરમાર એક જાણીતું નામ છે. જેવી રીતે એક હિરો ગમે ત્યાં હોય પણ તેનો ચળકાટ દેખાઈ આવે છે, તેમ વિજયભાઈ તેઓની લેખન શક્તિથી અલગ તરી આવે છે. તેઓ સંપાદક તરીકે એક પુસ્તક પણ પ્રકાશિત કરી રહ્યા છે. હવે તેઓ અતૂટ પ્રેમબંધન નામનું પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છે, તો તેં માટે હું હ્રદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આવી જ રીતે તેઓ સાહિત્યમાં પ્રગતિ કરતાં રહે, એવી શુભેચ્છાઓ.

    વર્ષા ભટ્ટ ‘વૃંદા’

    ચિરંજીવી શ્રીવિજય તેજસ્વી અને ઓજસ્વી શિક્ષક તરીકે ઓળખ ધરાવે છે. સાથે અર્ધાગની મિત્તલ પણ પણ રસથાળ પીરસે છે. આ પુસ્તક અતૂટ પ્રેમબંધનમાં તેઓ સાવ નવી જ રોચક  ગદ્ય છટા લઈને વાંચકો સમક્ષ પ્રગટ થતાં જણાશે. ચિરંજીવી વિજય એક ઉત્તમ લેખક બની ઉભરી આવે તથા લેખનમાં ઉત્તરોઉતર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ તથા આપની આ લેખનની યાત્રા વરદાનરૂપ બનો એવા શુભ ભાવે પરમપિતા પરમેશ્વરને હ્રદયપૂર્વકની પ્રાર્થના સહ હાર્દિક શુભેચ્છાઓ.

    ગોરધનભાઈ મેકવાન

    ભૂતપૂર્વ આચાર્ય તથા રાજ્ય પારિતોષિત એવોર્ડ વિજેતા શિક્ષક

    અનુક્રમણિકા

    આર્યન ધ રાઈડર

    એકવીસ વર્ષનો હેન્ડસમ યુવાન, ખડતલ શરીર અને આંખોમાં એક અલગ કોન્ફયુડન્સ સાથે આગળ વધી રહ્યો છે. આ નવયુવાનનું નામ છે આર્યન. આજે તેની ચાલમાં કંઈક જુદો જ જુસ્સો દેખાઈ રહ્યો છે. બધાં નવયુવાનો આજે મુંબઇમાં બાઈકરેસ માટે ભેગા થયા છે. એમાં આર્યન પણ જોડાયો છે. તેને જોતા એવું જ લાગે છે કે તે જ આ બાઈકરેસમાં વિજેતા બનશે કારણકે એ જીતનો નશો તેની આંખોમાં અને ચાલમાં છલકાઈ

    Enjoying the preview?
    Page 1 of 1